Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sandeshkhali Incident: આજે બંગાલ પ્રવાસ પર જશે રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્મા, ક્ષેત્રના ડીએમ-એસપીની સાથે કરશે બેઠક

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (12:46 IST)
રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્મા બંગાલ ના ઉત્તર 24 પરગના જીલ્લાનાં અશાંત સંદેશખાલીમાં જમીની પરિસ્થિતિની મુલાકાત લેવા માટે સોમવારે ત્યા જશે. સંદેશખાલી વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી સત્તારૂઢ તૃણમૂળ કોંગ્રેસના ફરાર નેતા શાહજહા શેખ અને તેમના મિત્રોની ધરપકડની માંગને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. 

<

#WATCH | Sandeshkhali, WB: NCW Chairperson Rekha Sharma says "I will have a conversation with the Police. I want the victims to talk to me, NCW is standing with them. We will take action on every complaint received from the victims. Be it murder or rape, the police do not take… pic.twitter.com/WwQHQil4ad

— ANI (@ANI) February 19, 2024 >
 
મહિલાઓએ લગાવ્યો ગંભીર આરોપ 
મહિલાઓનો આરોપ છે કે શાહજહા અને તેમના સમર્થકોએ તેમના યૌન ઉત્પીડન કર્યુ અને બળજબરીપૂર્વક જમીન પર કબજો કરી લીધો છે. આ ઘટનાને લઈને ચિંતિત મહિલા આયોગની અધ્યક્ષ સંદેશખાલીમાં પીડિત મહિલાઓ અને સ્થાનીક લોકો સાથે વાતચીત પછી ઉત્તર 24 પરગના જીલ્લાના ડીએમ અને એસપી સાથે પણ બેઠક કરશે. 
 
ત્યારબાદ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક ની સાથે બેઠક કરવાની વાત છે. તેને લઈને આયોગ  તરફથી સંબંધિત અધિકારીઓને પહેલા જ સૂચના આપવામાં આવી છે.  અગાઉ, કમિશનની એક ટીમે તાજેતરમાં સંદેશખાલીની મુલાકાત લીધી હતી અને જમીનની સ્થિતિની તપાસ કર્યા બાદ પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં સ્થાનિક મહિલાઓએ તૃણમૂલ નેતાઓ પર યૌન શોષણ અને પોલીસ પર શારીરિક સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે.
 
પોલીસ પ્રશાસન પર ઘોર બેદરકારીનો આરોપ
રિપોર્ટમાં પોલીસ પ્રશાસન પર ઘોર બેદરકારીનો આરોપ લગાવાયો છે. રિપોર્ટમાં સ્થિતિને ખૂબ જ ચિંતાજનક બતાવતા કહ્યુ કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવી તો દૂર ઉપરથી આ મામલામાં બોલવા પર મહિલાઓને ધમકી આપવા ઉપરાંત પુરૂષોની ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેની રિપોર્ટ બાદ આયોગ ની અધ્યક્ષે પોતે સંદેશખાલી જવાનો નિર્ણય કર્યો હતો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

ગાય ઉછેર પર સબસિડીમાં ગુજરાત, MP ને પાછળ છોડીને આગળ નિકળ્યુ મહારાષ્ટ્ર તિજોરી પર આટલો ભાર વધશે

મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી, ત્રીજા માળેથી કૂદકો માર્યો, જુઓ વીડિયો

'ગુજરાત નહીં તો શુ પાકિસ્તાન જઈને રમીએ?', મોડી રાત સુધી ગરબા પર બોલ્યા મંત્રી હર્ષ સંઘવી

આગળનો લેખ