rashifal-2026

Chunar Station Accident - યૂપીના મિર્જાપુરમાં ચુનાર સ્ટેશન પર કેવી રીતે થઈ આટલી મોટી દુર્ઘટના ?

Webdunia
બુધવાર, 5 નવેમ્બર 2025 (11:16 IST)
ઉત્તર પ્રદેશના મિર્જાપુર જીલ્લામાં આવેલ ચુનાર રેલવે સ્ટેશન પર મોટી રેલ દુર્ઘટના થઈ છે. મળતી માહિતી મુજબ અહી રેલવે ટ્રેકને પાર કરતા અનેક મુસાફરોના મોત થઈ ગયા છે.  અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 3 થી 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. વહીવટીતંત્રના અધિકારી ઘટનાસ્થળ પર છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની માહિતી લીધી છે અને રાહત કાર્ય ઝડપથી કરવાનો આદેશ આપ્યો છે.   
અકસ્માત કેવી રીતે થયો?
 
કેવી રીતે થઈ દુર્ઘટના ? 
મિર્ઝાપુર ટ્રેન અકસ્માત અંગે મળેલી માહિતી મુજબ, મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર સવારે 9:30 વાગ્યે એક મોટો અકસ્માત થયો. ટ્રેન નંબર 12311 દ્વારા અનેક લોકો ટકરાયા હતા. અહેવાલો દર્શાવે છે કે ત્રણથી ચાર લોકો ટ્રેનની ઝપેટમાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બધાના મોત થયા છે. યાત્રાળુઓ રેલ્વે લાઇન પાર કરી રહ્યા હતા. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો પ્લેટફોર્મ પર નહોતા ઉતર્યા પરંતુ વિરુદ્ધ દિશામાં ઉતર્યા પણ વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ ગયા હતા. તેજ રફતારમાં કાલકા એક્સપ્રેસ તે ટ્રેક પરથી પસાર થઈ. યાત્રીઓ કંઈ સમજી શકે તે પહેલાં જ 7-8 લોકો ટ્રેનની અડફેટમાં આવી ગયા.
 
મૃતકોમાં મોટાભાગની મહિલાઓ હતી. ઘણા યાત્રીઓના શરીરના ટુકડા રેલવે ટ્રેક પર વિખરાઈ ગયા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે કાલકા એક્સપ્રેસનું ચુનાર સ્ટેશન પર સ્ટૉપેજ નહોતું. આ કારણે ટ્રેનની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત એટલી ઝડપથી થયો કે કોઈને સમજવાનો સમય જ ન મળ્યો.
 
કાર્તિક પૂર્ણિમાને કારણે સ્ટેશન પર ખૂબ ભીડ હતી, તેમ છતાં ટ્રેનને પ્લેટફોર્મ પરથી ધીમી ગતિએ પસાર કરવામાં આવી નહોતી. જ્યારે ટ્રેન પસાર થઈ ગઈ, ત્યારે ટ્રેક પર લાશો વિખરાયેલી જોવા મળી. જીઆરપી પ્રભારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 6 મહિલાઓના મોત થયા છે. મૃતદેહોને બેગમાં ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
 
તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે, કારણ કે મોટાભાગની મહિલાઓ જૂથોમાં ગંગા સ્નાન માટે જઈ રહી હતી. રેલવે સ્ટેશનથી જ 2-3 કિલોમીટર દૂર ગંગા ઘાટ આવેલો છે. અકસ્માત બાદ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે.

<

Aleast six killed at Chunar Railway Station in Mirzapur on Wednesday morning, when several pilgrims were run over by the Kalka Express while crossing the railway tracks. The victims were on their way to Varanasi to take part in Kartik Purnima festivities. pic.twitter.com/df6PZSCmw5

— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 5, 2025 >
 
મુખ્યમંત્રી યોગીએ શું કહ્યું?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ SDRF અને NDRF ટીમોને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kada Prasad- ગુરુપર્વ પર ઘરે કડા પ્રસાદ બનાવો, રેસીપી

શિયાળો શરૂ થતા જ શરીરમાંથી ઘટવા માંડે છે આ વિટામીન, વધવા માંડે છે આ પરેશાનીઓ, જાણો કેવી રીતે કમી થશે પૂરી ?

Arhar Dal Recipe: તુવેરની દાળ તમારી જીભ પર પીગળી જશે, ફક્ત આ 2 ટામેટા-ડુંગળી ગ્રેવી મિક્સ કરો

ઉપર નીચે થઈ રહેલા હાર્મોનને કંટ્રોલ કરવા માટે ખાવ આ ચૂરણ, હાથ પગમાં થઈ રહેલ દુ:ખાવો અને થાકથી મળશે છુટકારો

How to clean the pan- કાળા પડી ગયેલા તવાને કેવી રીતે સાફ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

હોલીવુડ અભિનેત્રી ડાયેન લેડનું 89 વર્ષની વયે અવસાન

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - આ જોક્સ ખૂબ હસાવશે

Durga Kund Mandir Varanasi : કાશીમાં દિવ્ય દુર્ગા કુંડ મંદિરના દર્શનથી અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે.

આગળનો લેખ
Show comments