Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય પાસપોર્ટ પર કમળનું નિશાન, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

Webdunia
શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (09:20 IST)
નવા ભારતીય પાસપોર્ટ પર જોવા મળી રહેલા કમળના ફૂલના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાસપોર્ટ પર કમળના નિશાનના પગલે વિપક્ષ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
 
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, વિદેશ મંત્રાલયે કમળના નિશાન પર સ્પષ્ટતા આપી છે કે આ બોગસ પાસપોર્ટની ઓળખ કરવા માટે 'સિક્યૉરિટી ફીચર' તરીકે તેને ઉમેરવામાં આવ્યું છે.
 
મહત્ત્વપૂર્ણ છે કે કમળએ કેન્દ્રમાં શાસકપક્ષ ભાજપનું ચૂંટણીચિહ્ન છે.
 
આ મુદ્દા પર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 'કમળ આપણું 'રાષ્ટ્રીય ફૂલ' છે. ભવિષ્યમાં પણ પાસપોર્ટ પર અલગ-અલગ રાષ્ટ્રીય પ્રતીક છાપવામાં આવશે.'
 
વિપક્ષે બુધવારે લોકસભામાં નવા પાસપોર્ટ પર કમળના નિશાન મામલે સવાલ ઉઠાવ્યા હતા જેનો જવાબ એક દિવસ બાદ ગુરુવારે વિદેશ મંત્રાલયે આપ્યો હતો.
 
કૉંગ્રેસ સભ્ય એમ. કે. રાઘવને કેરળના કોઝિકોડમાં નવા પાસપોર્ટનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે ભાજપના ચૂંટણીચિહ્ન સાથે સરકારી પ્રતિષ્ઠાનોનું ભગવાકરણ થઈ રહ્યું છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments