Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mathura: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન શ્વાસ રૂંધાવાથી બેના મોત, અનેક ઘાયલ

Webdunia
શનિવાર, 20 ઑગસ્ટ 2022 (08:53 IST)
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ઠાકુર બિહારી મંદિરમાં યોજાનારી મંગળા આરતી દરમિયાન એક દર્દનાક ઘટના બની. શુક્રવારે રાત્રે 2 વાગ્યે વર્ષમાં એક વખત યોજાતી મંગળા આરતી દરમિયાન બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા  જ્યારે અડધો ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
ઠાકુર બાંકે બિહારી મંદિરમાં વર્ષમાં એકવાર યોજાતી મંગળા આરતી દરમિયાન એક મોટી ઘટના બની હતી. મંદિરની ક્ષમતા કરતા અનેકગણી ભક્તોની સંખ્યા હોવાના કારણે બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. જેમાં નોઈડા સેક્ટર 99માં રહેતી મહિલા નિર્મલા દેવી અને વૃંદાવનની રુક્મિણી વિહાર કોલોનીમાં રહેતા 65 વર્ષીય રામ પ્રસાદ વિશ્વકર્માનું મોત થયું હતું. રામ પ્રસાદ મૂળ જબલપુરના હતા.
<

UP: 2 die during Janmashtami celebrations at overcrowded Banke Bihari temple in Mathura

Read @ANI Story | https://t.co/8xTfPBJ8GS#Janmashtami #Mathura #BankeBihariTemple pic.twitter.com/hwn7f0G1XD

— ANI Digital (@ani_digital) August 20, 2022 >\
બિહારી જી મંદિરમાં નાસભાગ દરમિયાન સ્થિતિ.
 
મંદિરમાં અકસ્માત થયો તે સમયે ડીએમ, એસએસપી, મ્યુનિસિપલ કમિશનર સહિત ભારે પોલીસ દળ હાજર હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેહોશ થયેલા ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બોક્સ. 4 નંબરના ગેટ પર એક ભક્ત બેભાન થવાને કારણે આ ઘટના બની હતી.મંદિરના 2 એક્ઝિટ ગેટ છે. 4 નંબરો અને 1 નંબર. 4 નંબરના ગેટ પર એક ભક્ત ગૂંગળામણને કારણે બેહોશ થઈ ગયો હતો. પોલીસ કર્મચારીઓ તેને બહાર કાઢે ત્યાં સુધીમાં મંદિરની બહાર જતા ભક્તોની ભીડ વધુ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે અન્ય ભક્તોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને આ ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments