rashifal-2026

સંભલમાં મંદિર-મસ્જિદમાંથી હટાવવામાં આવશે લાઉડસ્પીકર, ધર્મગુરુઓ સાથે પોલીસની બેઠકમાં લેવાયો નિર્ણય

Webdunia
ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (07:14 IST)
સંભલ જિલ્લાના પોલીસ અધિકારીઓએ બુધવારે તમામ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સર્વસંમતિથી ધાર્મિક સ્થળોની બહાર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
અધિક પોલીસ અધિક્ષક શ્રીશ ચંદ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે તમામ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ધાર્મિ‌ક સ્થળોએ લાઉડ સ્પીકરનું પ્રમાણ પૂર્વ નિર્ધારિત સૂચના મુજબ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બધાએ સંમતિ આપી કે બહાર લગાવેલા લાઉડસ્પીકર દૂર કરીને ધાર્મિક સ્થળોના પરિસરમાં મૂકવામાં આવશે.
 
મીટિંગમાં હાજર રહેલા મુફ્તી આલમ રઝા ખાન નૂરીએ કહ્યું, "બેઠકમાં તમામ ધર્મના લોકો હાજર હતા અને દરેક લોકો લાઉડસ્પીકર અંગેની ચર્ચા માટે સંમત થયા હતા."
 
ચામુંડા મંદિરના મહંત મુરલી સિંહે કહ્યું કે, બધા એ વાત પર સહમત થયા કે લાઉડસ્પીકરનો અવાજ વધારે મોટો ન હોવો જોઈએ. અગાઉ, વહીવટીતંત્ર અને પોલીસની ટીમે દીપા સરાઈ વિસ્તારમાં અતિક્રમણ વિરોધી કામગીરી હાથ ધરી હતી અને અનેક કથિત ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કનું ઘર પણ આ વિસ્તારમાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments