Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kejriwal શપથ ગ્રહણ સમારોહ: રામલીલા મેદાનમાં 'નાયક 2 ઇઝ બેક અગેન' પોસ્ટર

Webdunia
રવિવાર, 16 ફેબ્રુઆરી 2020 (09:30 IST)
નવી દિલ્હી આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે. રામલીલા મેદાનમાં કેજરીવાલના પોસ્ટરો ભરાયા છે. આમાંના કેટલાક પોસ્ટરોમાં લખ્યું છે કે નાયક 2 બેક અગેન છે.
 
રામલીલા ગ્રાઉન્ડ અરવિંદ કેજરીવાલના શપથ માટે તૈયાર છે, ગ્રાઉન્ડમાં લગભગ 45 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં આશરે 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
શપથ ગ્રહણ સમારોહ માટે આખી દિલ્હીને આમંત્રણ અપાયું છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને પણ અપીલ કરી છે કે વધુને વધુ લોકો તેમના શપથ સમારોહમાં પહોંચે.
 
સમારોહ 16 ફેબ્રુઆરીએ બપોરે 1215 વાગ્યે યોજાશે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 ધારાસભ્યો પણ પ્રધાન પદના શપથ લેશે. આ બધા કેજરીવાલની ગત સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.
નોંધનીય છે કે 70 સદસ્યોની દિલ્હી વિધાનસભામાં AAP એ 62 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ આઠ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ સતત બીજી વાર ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયું.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments