Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ અને બીટીપીના છોટુ વસાવા આદિવાસી રેલીનું સંબોધન કરશે

Webdunia
બુધવાર, 27 એપ્રિલ 2022 (11:56 IST)
આમ આદમી પાર્ટી (આપ)ના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક છોટુ વસાવા 1 મે એટલે કે ગુજરાતના સ્થાપનાદિવસના રોજ ભરૂચના વાલીયા નજીક એક આદિવાસી રેલીને સંબોધન કરશે.
 
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના સ્થાપનાદિવસ નિમિત્તે રાજ્યમાં આવશે. તેમની આ યાત્રા દરમિયાન તેઓ વસાવાને મળશે.
 
આ અંગે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, "કેજરીવાલ અને વસાવા આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરતાં પહેલાં આદિવાસીઓના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે."
 
નોંધનીય છે કે બીટીપી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં થોડાઘણા અંશે પકડ ધરાવે છે અને તેમની પાસે હાલ ગુજરાત વિધાનસભામાં બે બેઠકો પણ છે.
 
હવે જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીક આવતી જઈ રહી છે ત્યારે આ બંને પક્ષો એકબીજા સાથે જોડાણ કરવા આકર્ષાઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments