Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં 3 મે થી 20 મે સુધી કંમ્પલીટ લોકડાઉન ? જાણો શુ છે હકીકત

Webdunia
શનિવાર, 1 મે 2021 (19:29 IST)
ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે અને આજે દેશમાં પહેલીવાર એક દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ મળ્યા છે. કોરોનાના વધતા કેસને લઈને એકવાર ફરી લોકડાઉન શબ્દ ચર્ચામાં આવી ગયો છે. કોરોના સંકત વચ્ચે સોશિયલ મીડિયા પર ઈ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર  સરકાર 3 મે થી 20 મે સુધી કંપ્લીત લોકડાઉન લગાવી દેશે.  તો ચાલો જાણીએ કે છેવટે લોકડાઉનને લઈને વાયરલ થઈ રહેલ આ દાવાની શુ છે સચ્ચાઈ. 

<

सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc

— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021 >
 
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 3 મે થી 20 મે સુધી દેશમાં કંપ્લીટ લોકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. વાયરલ પોસ્ટમાં ટીવી ચેનલની એક ફ્રેમ બતાવી છે, જેમા પીએમ મોદીના ફોટો સાથે સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યુ છે કે લોકડાઉનની નવી ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે.  સાથે જ બ્રેકિંગના રૂપમાં તેને બતાવી છે કે 3 મે થી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.  તેમા પીએમ મોદીના નિવેદનના અહેવાલોથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નિર્ણય દેશના બધા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉનને લઈને હામી ભરી દીધી છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર  સરકારે દેશમાં 3 મે થી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. 
 
#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
 
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021
 
પણ જ્યારે આ વાયરલ પોસ્ટની પડતાલ કરવામાં આવી તો આ એકદમ ખોટુ નીકળ્યુ. પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આ દાવાને ખોટો બતાવ્યો અને કહ્યુ કે સરકાર તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી.  આ ઉપરાંત આ ખૂબ પહેલા પીએમ મોદી સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે લોકડાઉન લગાવવાના પક્ષમાં નથી.  એટલુ જ નહી, તેમણે રાજ્યોને પણ કહ્યુ હતુ કે લોકડાઉનનો ઉપયોગ અંતિમ વિકલ્પના રૂપમાં જ કરો. 
 
પીએમ મોદીએ 20 એપ્રિલના રોજ દેશના નામ સંબોધનમાં જ આ સ્પષ્ટ કરી દીધુ હતુ કે સરકાર લોકડાઉન લગાવવા માંગતી નથી. જો કે આ ફેક પોસ્ટ વાયરલ થવા પાછળનો તર્કને એ રીતે પણ જોઈ શકાય છે કે 2 મે ના રોજ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી થશે અને આ દિવસે જાણ થઈ જશે કે બંગાળને લઈને અસમ સુધી કોની સરકાર બનશે.  આ જ કારણ છે કે ફેક ન્યુઝ ફેલાવનારાએ 3 મે ની તારીખનો પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. 
 

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments