Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ લેડી IPS થરથર ધ્રૂજે છે આતંકવાદીઓ, AK-47 લઇને ફરે છે, 15 મહિના કર્યા 16 એન્કાઉન્ટર

Webdunia
શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (09:55 IST)
અસમની મહિલા આઇપીએસ ઓફિસર સંજુક્તા પરાશર બહાદુરીનું બીજું નામ છે અને તેમના નામથી આતંકવાદીઓ થરથર ધ્રૂજે છે. સંજુક્તા પરાશર અસમના જંગલોમાં એકે-47 લઇને ફરે છે. તે 15 મહિનામાં 16 આતંકવાદીઓને ઠાર મારીને 64 થી વધુ લોકોની ધરપકડ કરવાનો તથા અનેક ટન ગોળા-બારૂદ તથા હથિયાર જ્પ્ત કરવા માટે જાણિતી છે. સંજુક્તા પરાશરનું  નામ અસમના બોડો ઉગ્રવાદીઓના દિલમાં ભય ભરવા માટે પુરતું છે. 
 
સંજુક્તા પરાશરનો જન્મ અસમમાં થયો હતો અને તેણે પ્રાથમિક શિક્ષણ પણ અહીં મેળવ્યું અતું. 12મા બાદ સંયુક્તાએ પોલિટિક્સ સાયન્સ દ્વારા દિલ્હીના ઇંદ્રપ્રસ્થ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ જેએનયુમાંથી ઇન્ટરનેશનલ રિલેશનમાં પીજી અને યુએસ ફોરેન પોલિસીમાં એમફીલ તથા પીએચડી કર્યું. 
 
સંજુક્તા પરાશર વર્ષે 2006 બેચની આઇપીએસ ઓફિસર છે અને તેમણે સિવિલ સર્વિસિઝ એક્ઝામમાં ઓલ ઇન્ડીયામાં 85મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે મેઘાલય-અસમ કેડરને પસંદ કરી. 
વર્ષ 2008 માં સંજુક્તા પરાશર ની પ્રથમ પોસ્ટિંગ અસમના માકુમાં આસિસ્ટેંટ તરીકે થઇ. ત્યારબાદ ઉદાલગિરીમાં બોડો અને બાંગ્લાદેશીઓ વચ્ચે હિંસાને કાબૂ કરવા માટે મોકલવામાં આવી. 
 
સંજુક્તા પરાશરના અસમના સોનિતપુર જિલ્લામાં એસપી રહેતાં સીઆરપીએફ જવાનોની લીડને લીડ કરી હતી અને પોતે એકે 47 લઇને વોડો ઉગ્રવાદીઓ સામે ટક્કર આપી. આ ઓપરેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા, જેમાં તે પોતાની આખી ટીમ સાથે હાથમાં એકે 47 રાઇફલ લઇને જોવા મળી રહી છે. 
 
સંજુક્તા પરાશર ને ઉગ્રવાદીઓ ઓર્ગેનાઇઝેશનની તરફથી ઘણીવાર મારવાની ધમકી પણ આપવામાં આવી, પરંતુ તેમણે ક્યારેય પણ તેની ચિંતા કરી નથી. આતંકવાદીઓ માટે તે ખરાબ સપનાની માફક છે અને આતંકવાદીઓ તેમના નામથી થરથર ધ્રૂજ્કે છે. 
 
સંજુક્તા પરાશરે વર્ષ 2015 માંન એન્ટી બોડો આતંકવાદી ઓપરેશનને લીડ કર્યું અને તેણે ફક્ત 15 મહિનામાં 16 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. આ ઉપરંઅત 64 ઊગ્રવાદીઓને જેલ પણ મોકલ્યા હતા. આ સાથે જ સંજુક્તા પરાશરની ટીમે ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યો હતો. તેમની ટીમને 2014 માં 175 આતંકવાદીઓ અને 2013 માં 172 આતંકવાદીઓને જેલ પહોંચાડ્યા હતા. 
 
એક પોલીસ ઓફિસરે પોતાના કર્તવ્યને બજવતાં ઉપરાંત સંજુક્તા પરાશર કામમાંથી બ્રેક મળતાં પોતાનો મોટાભાગનો સમય રિલીફ કેમ્પમાં લોકોની મદદ કરવામાં લાગે છે. તેમનું કહેવું છે કે તે ખૂબ વિનમ્ર અને લવિંગ છે અને ગુનેગારોને તેને ડરવું જોઇએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હુમલા બાદ કરીના સૈફ સાથે હોસ્પિટલ જવાની સ્થિતિમાં ન હતી, તેથી મીડિયાના ડરથી તે ઘરે જ બેસી ગઈ.

Chhaava Trailer: ‘મોત કે ઘુંઘરુ પહેનકર...' જેવા ડાયલોગથી દમદાર જોવા મળ્યુ 'છાવા' નુ ટ્રેલર, બે કલાકમાં મળ્યા 15 લાખ વ્યુઝ

કપિલ શર્માની સાથે રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળી, પાકિસ્તાનથી ઈ-મેલ આવ્યો.

કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી, મુંબઈ પોલીસ તપાસમાં લાગી

ગુજરાતી જોક્સ -દિલ્હીના કોઈ છોકરા

વધુ જુઓ..

નવીનતમ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

પેન્ટીને સૂકી કેવી રીતે રાખવી? સફેદ સ્રાવ વખતે પણ આ રીત રાહત આપશે

Republic Day 2025- આ વર્ષે ગણતંત્ર દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ હશે મુખ્ય અતિથિ, જાણો કેવી રીતે થાય છે સિલેક્શન

Republic Day Rangoli Designs: પ્રજાસત્તાક દિવસે જૂની બંગડીઓમાંથી બનાવો આ રંગોળી ડિઝાઇન, બધા વખાણ કરશે

લોભી કૂતરો

આગળનો લેખ
Show comments