Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર રોક, 1 ઓક્ટોબરની સાંજ સુધી આદેશ ચાલુ રહેશે

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (00:18 IST)
manipur
મણિપુરમાં ગઈકાલે એટલે કે 26મી સપ્ટેમ્બરે સાંજે 7.45 વાગ્યાથી તાત્કાલિક અસરથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. વહીવટીતંત્રનો આ આદેશ 5 દિવસ સુધી અમલમાં રહેશે. એટલે કે 1 ઓક્ટોબર, 2023 ના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી લોકો ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં. પ્રશાસને આદેશ જારી કરીને કહ્યું કે લોકો મોબાઈલ ઈન્ટરનેટ ડેટા સર્વિસ અને VPN દ્વારા પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી. તપાસ એજન્સી ANIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

<

Mobile internet data services, internet/data services through VPN suspended in the territorial jurisdiction of Manipur for five days with immediate effect till 7:45 PM of 1st October 2023. pic.twitter.com/xZEuZUmmuJ

— ANI (@ANI) September 26, 2023 >
 
આદેશમાં શું લખ્યું છે?
પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે, 'મણિપુર રાજ્યમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પ્રચાર, ખોટી અફવાઓ અને અન્ય પ્રકારના સમાચારોના ફેલાવાને અત્યંત સંવેદનશીલતા સાથે ગંભીરતાથી લઈ રહી છે. .'
 
આદેશમાં આગળ જણાવાયું છે કે હિંસક ગતિવિધિઓ અને ટેબલેટ, કોમ્પ્યુટર, મોબાઈલ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા મોટી સંખ્યામાં એમએમએસ મોકલવાથી આંદોલનકારીઓ અને વિરોધીઓ ભેગા થઈ શકે છે, જેનાથી જાનહાની અથવા જાહેર સંપત્તિનું નુકસાન થઈ શકે છે.
 
મણિપુરમાં શું  છે સ્થિતિ?
તમને જણાવી દઈએ કે લગભગ 5 મહિના પછી ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત થયા બાદ બે વિદ્યાર્થીઓના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી હોબાળો થયો હતો. રાજધાની ઇમ્ફાલમાં સેંકડો વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થી મુખ્યમંત્રી એન. બિરેન સિંહના નિવાસસ્થાન તરફ કૂચ કરવા માંગતા હતા. પરંતુ સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડીને ભીડને વિખેરી નાખી હતી. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments