Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોરમાં કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત, એકસાથે ત્રણ ટ્રેનો કેવી રીતે અથડાઈ?

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (09:43 IST)
ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં એકસાથે ત્રણ ટ્રેનનો અકસ્માત થયો છે. અત્યાર સુધીમાં આ ભયાનક અકસ્માતમાં 288 લોકોનાં મોત થયાં છે અને લગભગ 800 લોકો ઘાયલ થયા છે.
 
ઇન્ડિયન એક્સ્પ્રેસના રિપોર્ટ પ્રમાણે ચેન્નઈ જઈ રહેલી કોરોમંડલ એક્સ્પ્રેસના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ડબ્બા ઊતરેલા ડબ્બા બાજુના રેલ્વે ટ્રેક પર જઈને પડ્યા હતા. એ પાટા પરથી બેંગલુરુ હાવડા સુપરફાસ્ટ એક્સ્પ્રેસ જઈ રહી હતી.
 
અખબારે દક્ષિણ પૂર્વ રેલવે પ્રવક્તાના નિવેદનના આધારે લખ્યું છે કે કોરોમંડલ ટ્રેનના કોચ નંબર બી2, એ1થી એ2, બી1 અને એન્જિન અકસ્માતનો ભોગ બન્યા હતા. જ્યારે ટ્રેન નંબર 12864 (યશવંતપુર-હાવડા એક્સ્પ્રેસ)ના એક જનરલ કોચને નુકસાન પહોંચ્યું હતું. જનરલ કોચ અને કોચ નંબર 2 પાછળની તરફથી પાટા પરથી ઊતરી ગયા હતા.
 
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ અખબારને જણાવ્યું કે બહાનગા બાઝાર રેલવે સ્ટેશનથી પસાર થતાં શાલીમાર ચેન્નઈ કોરોમંડલ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ડબ્બા પાસેથી પસાર થઈ રહેલી હાવડા એક્સ્પ્રેસ ટ્રેનની સાથે અથડાયા. જે બાદ હાવડા એક્સ્પ્રેસના ત્રણ ડબ્બા પણ પાટા પરથી ઊતરી ગયા. .
 
અખબારના રિપોર્ટ પ્રમાણે બહાનગા બાઝાર રેલવે સ્ટેશન પર ચાર ટ્રેક છે. એક લૂપ ટ્રેક પર માલગાડી ઊભી હતી. બે મુખ્ય લાઇનો પર સામ-સામે બે ટ્રેનોને પસાર કરાવવાની હતી.
 
કોરોમંડલ ટ્રેનના જે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા તેની ટક્કર પાસેના ટ્રેક પર રહેલી માલગાડી સાથે પણ થઈ.
 
 એક બાદ એક ત્રણ ટ્રેનો આ રીતે અથડાઈ હતી?
 
આ જ રિપોર્ટમાં સ્થાનિક સ્ટેશન અધિકારીઓના કહેવા મુજબ આ અકસ્માતની બીજી થિયરી પણ રજૂ કરવામાં આવી છે. જેમાં કોરોમંડલ ટ્રેનની જગ્યાએ બેંગલુરુ-હાવડા ટ્રેન પહેલાં પાટા પરથી ઊતરી ગઈ હોવાનું કહેવામાં આવ્યું છે.
 
ધ હિંદુ અખબારનું કહેવું છે કે પહેલાં યશવંતપુર હાવડા ટ્રેનના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.
 
અખબારનું કહેવું છે કે સાંજે લગભગ સાત વાગ્યે બહાનગા બાઝાર રેલવે સ્ટેશન પાસે ટ્રેન નંબર 12864 (યશવંતપુર-હાવડા એક્સ્પ્રેસ)ના બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા અને બાજુના ટ્રેક પર ઝડપથી આવી રહેલી ટ્રેન નંબર 12841 (કોરોમંડલ એક્સ્પ્રેસ) સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં કોરોમંડલ ટ્રેનના 17 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા.
 
ધ હિંદુ અખબારનું કહેવું છે કે આ અકસ્માતમાં એક માલગાડી પણ સામેલ છે. અખબારે ઓડિશાના ચીફ સેક્રેટરી પી. કે. જેનાના નિવેદનના આધારે લખ્યું કે કોરોમંડલ ટ્રેનના ડબ્બા જ્યારે પાટા પરથી ઊતર્યા તો તે માલગાડી સાથે અથડાયા હતા.
 
કોરોમંડલ એક્સ્પ્રેસ પશ્ચિમ બંગાળને તમિલનાડુ સાથે જોડે છે. અકસ્માતના કેટલાક સમય પહેલાં જ આ ટ્રેન શાલીમાર સ્ટેશન પરથી પસાર થઈ હતી. અખબારના રિપોર્ટ પ્રમાણે કોરોમંડલ ટ્રેનમાં મોટાભાગના લોકો એવા હોય છે જે કામ માટે કે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે તમિલનાડુ જાય છે.
 
હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે સાંજે 6 વાગીને 55 મિનિટ પર કોરોમંડલ એક્સ્પ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઊતર્યા હતા અને બાજુના ટ્રેક પર પડ્યા હતા. સાંજે સાત વાગ્યે હાવડા એક્સ્પ્રેસની ટક્કર આ પાટા પરથી ઊતરી ગયેલા ડબ્બા સાથે થઈ અને તેના પણ બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા.
 
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ દુર્ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. તેમણે ટ્વીટ કરીને દુર્ઘટના અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજા પામેલા લોકોને બે-બે લાખ અને સામાન્ય ઈજાઓ ધરાવતા લોકોને 50 હજાર રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.
 
ચીફ સેક્રેટરી પ્રદીપ જેનાએ કહ્યું છે કે ઈજાગ્રસ્તોને ગોપાલપુરના એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક ઈજાગ્રસ્તોને બાલાસોરની મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જ કટકના હૉસ્પિટલની મુલાકાત લઈને આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકોને મળશે. બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધી 238 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.
 
શનિવારે સવારે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે.
 
રેલમંત્રીને જ્યારે આ દુર્ઘટનાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરી દેવાઈ છે, તપાસ બાદ જ કંઈ કહી શકાશે.
 
ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર
બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ફરી એકવાર જમીનદોસ્ત થઈ ગયો છે. નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું હતું. સાથે જ બ્રિજ પર ફરજ બજાવતા બે ગાર્ડ પણ અકસ્માત બાદ લાપતા છે. SDRFની ટીમ તેમને શોધી રહી છે. બ્રિજના પિયર નંબર 10, 11, 12 ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર અગવાણી બાજુથી તૂટી ગયું છે, જે લગભગ 200 મીટરનો ભાગ હશે. જો કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ મહાસેતુ એસપી સિંગલાની કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. ઘટના રવિવાર સાંજની છે. આ મહાસેતુ એસપી સિંગલાની કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે.
 
ગયા વર્ષે પણ પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડ્યુ હતું 
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 27 એપ્રિલે આ નિર્માણાધીન પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું હતું. જોરદાર તોફાન અને વરસાદમાં લગભગ 100 ફૂટ લાંબો ભાગ જમીન પર પડી ગયો હતો. જો કે તે સમયે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ ન હતી. આ પછી પુલ બનાવવાનું કામ ફરી શરૂ થયું. 
આ વખતે સુપર સ્ટ્રક્ચરનું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. એટલું જ નહીં, એપ્રોચ રોડનું 45 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ પુલ ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતો બિહાર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટનું પ્રારંભિક મૂલ્ય 1710.77 કરોડ હતું. તેનો શિલાન્યાસ 23 ફેબ્રુઆરી 2014ના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બ્રિજ અને રોડના નિર્માણ સાથે NH 31 અને NH 80 ને જોડવામાં આવશે. કૃપા કરીને જણાવો કે આ પુલની લંબાઈ 3.160 કિમી છે. જ્યારે એપ્રોચ રોડની કુલ લંબાઈ આશરે 25 કિ.મી. છે. વ
 
આ સુપર સ્ટ્રક્ચર અકસ્માત પહેલા બે મહિનામાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ત્યારે આ દુર્ઘટના પહેલા બ્રિજ બનાવવાની એજન્સી દાવો કરી રહી હતી કે આગામી બે મહિનામાં સુપર સ્ટ્રક્ચર અને એપ્રોચ રોડ તૈયાર થઈ જશે. જણાવી દઈએ કે બ્રિજનું નિર્માણ 2015 થી ચાલી રહ્યું છે. તેની કિંમત 1710.77 કરોડ રૂપિયા છે. એસપી સિંગલા કન્સ્ટ્રક્શન લિમિટેડ કંપની તેનું બાંધકામ કરી રહી છે.
 
ઓડિશા રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના નિદેશક જ્ઞાનરંજન દાસે કહ્યું કે સરકારે આદેશ આપ્યો છે કે આસપાસના જિલ્લામાંથી ઍમ્બ્યુલન્સોને ઘટનાસ્થળ સુધી પહોંચાડવામાં આવે.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈએ કેટલીક તસવીરો જાહેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રેનના કેટલાક ડબ્બા પલટી ખાધેલી હાલતમાં છે.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments