Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fire in Nashik Bus: મહારાષ્ટ્રના નાસિકમાં મોટી દુર્ઘટના, બસમાં આગ લાગતા 12 લોકો જીવતા ભડથું

નાસિકમાં એક બસમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે

Webdunia
શનિવાર, 8 ઑક્ટોબર 2022 (09:22 IST)
Bus Caught Fire in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયા છે. જાણવા મળ્યું છે કે આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

<

At least 11 people dead after a bus caught fire in Nashik last night. Bodies & injured people have been taken to hospital, we're still trying to ascertain the exact number of deaths with doctor's confirmation: Nashik Police pic.twitter.com/T3th48xWYT

— Imtiyaz shaikh (@Imtiyaztimes) October 8, 2022 >
ઔરંગાબાદ નજીક અકસ્માત
 
મળતી માહિતી મુજબ ખાનગી ઓપરેટરની બસ યવતમાલથી મુંબઈ તરફ જઈ રહી હતી. સવારે સાડા પાંચ વાગ્યાની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ઔરંગાબાદના કૈલાશ નગર વિસ્તાર પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. અકસ્માત સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે.
<

Maharashtra | Nashik Police confirms that several people are feared to be dead as a bus caught fire in Nashik last night. Further details awaited. pic.twitter.com/s75A6RnYHO

— ANI (@ANI) October 8, 2022 >
ઘટનાનું કારણ જાણી શકાયું નથી
 
મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકવાને કારણે મૃતદેહોને સિટી બસમાં જ રાખવા પડ્યા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
મુખ્યમંત્રીએ  કરી જાહેરાત
 
આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોને મફત સારવાર આપવાનું પણ કહેવામાં આવ્યું છે.
 

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments