Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરખપુર પેટાચૂંટણી - યોગીની સીટને લઈને ઘમાસાન, પહેલીવાર જાતીય મોર્ચાબંદી

Webdunia
શનિવાર, 10 માર્ચ 2018 (10:38 IST)
એક વર્ષથી સત્તાના કેન્દ્ર બનેલ ગોરખનાથ મંદિરની પરંપરાગત સીટ ગોરખપુર સદરમાં રોચક અને કાંટાની ટક્કર દેખાય રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સીટ બચાવવા અને છીનવાની કોશિશમાં ગામે ગામે  દોડભાગ તહી રહી છે. આ ઓછા શોરગુલવાળી ચૂંટણી છે. જેમા ઘર ઘર જઈને વોટ માંગવાની નીતિ પર બધા ઉમેદવાર વિશ્વાસ કરી રહ્યા છે.  સપા ઉમેદવારને બસપાના સમર્થન પછી ટક્કર કાંટાની છે. સપા-બસપાના સમજૂતી કરવાથી નારાજ કોંગ્રેસ પોતાના ઉમેદવારને લોકસભા મોકલવાની કોશિશમાં પૂરી તાકત લગાવી રહી છે. 
બીજી બાજુ જોવા જઈએ તો મુદ્દાના નામ પર સૌના હાથ ખાલી છે.  ગોરખપુરમાં બસ યોગીની સીટ બચાવવા-છીનવાનો જ મુદ્દો છે.  ગોરખપુરની રાજનીતિને દસકોથી જોઈ રહેલ રાજકારણ પ્રેક્ષકોનુ કહેવુ છે કે સૌથી મોટો પડકાર પોતાના વોટરને બૂથ સુધી મોકલવાનો રહેશે.  જે પોતાના વોટરોને ઘરમાંથી કાઢીને બૂથ સુધી લઈ જવામાં સફળ રહેશે તે જીતના એટલો જ નિકટ રહેશે.   અગાઉની લોકસભા ચૂંટણીમાં ગોરખપુર સીટ પર મતદાન 52.86 ટકા થયુ અને યોગી આદિત્યનાથ 3.12 લાખ વોટોના અંતરથી જીત્યા હતા.  માનવામાં આવી રહ્યુ છે કે પેટાચૂંટણીમાં મતદાન તકા સામાન્ય ચૂંટણીની તુલમાં ઓછુ જ રહે છે. 
ગોરખપુરમાં પહેલીવાર જાતીય મોરચાબંધી 
 
1989થી સતત ગોરખનાથ મંદિરના કબજાવાળી સદર લોસ સીટ પર પહેલીવાર જોરદાર જાતીય મોરચાબંધી જોવા મળી રહી છે.  અત્યાર સુધી લોકોના મંદિર સાથે જોડાયેલ અને પીઠાધીશ્વરના ઉમેદવાર હોવાથી છેવટે જાતીય સીમાઓ તૂટી જતી હતી.  જોરદાર ધ્રુવીકરણ થતુ હતુ. આ જ કારણ છે કે છેલ્લા 29 વર્ષથી કોઈપણ દલ પીઠાધીશ્વરો પાસેથી આ સીટ છીનવી શક્યુ નથી.  છેલ્લા 29 વર્ષમાં આવુ પહેલીવાર છે જ્યારે પીઠાધીશ્વર યોગી આદિત્યનાથ પોતે ચૂંટણી મેદાનમાં નથી.  સીટ તેમના રાજીનામાથી જ ખાલી થઈ છે.   ભાજપાએ સંગઠનમાં ક્ષેત્રીય મંત્રી ઉપેન્દ્રદત્ત શુકલને ઉમેદવાર બનાવ્યા છે.  યોગી માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ છે.  બીજી બાજુ સપાએ જાતીય આંકડાને જોતા નિષાદ પાર્ટીના અધ્યક્ષના પુત્રને ઉમેદવાર બનાવ્યા.  નિષાદ યાદવ મુસ્લિમ વોટબેંકનો ફાયદો લેવાનો આ દાવ ચલાવી ગયા.  ઉપરથી બસપાના સમર્થને આ ગઠબંધનને મજબૂતી આપી છે. 

સંબંધિત સમાચાર

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments