Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનીવાલાનું 97 વર્ષની વયે નિધન

Webdunia
ગુરુવાર, 16 મે 2024 (01:01 IST)
kamala benival
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનીવાલાનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર કમલા બેનીવાલાએ જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલે સોશિયલ મીડિયા પર માતાના નિધન અંગે માહિતી આપી. તેમના નિધન પર PM મોદી, CM પટેલ સહિત પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.  

<

Saddened by the passing away of Dr. Kamla Beniwal Ji. She had a long political career in Rajasthan, where she served the people with diligence. I had countless interactions with her when she was the Governor of Gujarat and I was the Chief Minister. Condolences to her family and… pic.twitter.com/PvOj6rjGIX

— Narendra Modi (@narendramodi) May 15, 2024 >
<

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. મારી સંવેદના તેઓના શોક સંતપ્ત પરિવારજનોની સાથે છે. ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.

— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 15, 2024 >
કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927માં રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ગોરિર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. 11 વર્ષની ઉંમરે તેમણે ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો. અભ્યાસમાં રસ હોવાથી તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમએનો અભ્યાસ કર્યો હતો.  અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તે સમયે રાજકારણમાં મહિલાઓની સંખ્યા નહિવત હતી. 1954માં રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. કમલા બેનીવાલ આઝાદીથી લઈને 2014 સુધી રાજકારણમાં સક્રિય રહ્યાં. તે રાજસ્થાન સરકારમાં મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત, ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ રહી ચુક્યા છે. ડો. કમલા બેનીવાલ સાત વખત ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. વર્ષ 2009થી 2014 સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ પદે રહ્યા હતા. ડો. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી અને તેમણે પાર્ટીમાં પણ ઘણા હોદ્દા સંભાળ્યા હતા
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ, જાણો કેવી રીતે પીવું?

શું છે બ્રાઝિલ અખરોટ, જે ખાવાનું ચલણ ભારતમાં વધી રહ્યું છે, તે થાઇરોઇડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

વધુ જુઓ..

નવીનતમ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments