Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાશે

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાશે
Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2024 (13:11 IST)
દિલ્હીની રાઉઝ ઍવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
 
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તેમને તિહાડ જેલમાં રાખવામાં આવશે.
 
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીનું કહેવું હતું કે શરાબનીતિ સાથે જોડાયેલા કથિત ગોટાળા મામલે પૂછપરછ દરમિયાન કેજરીવાલનું વલણ સહયોગ આપનારું નહોતું.
 
ઈડીના વકીલ એસ. વી. રાજુએ કહ્યું કે કેજરીવાલે પૂછપરછ દરમિયાન સહયોગ નહોતા કરી રહ્યા એટલું જ નહીં પરંતુ તેમણે પોતાના ફોનના પાસવર્ડ પણ નહોતા આપ્યા.
 
કોર્ટ આવતા સમયે કેજરીવાલે મીડિયાને જણાવ્યું, “પીએમ મોદી જે કરી રહ્યા છે તે દેશ માટે યોગ્ય નથી.”
 
શરાબનીતિમાં(જે હવે રદ થઈ ગઈ છે.) કથિત ગોટાળા મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ઇડીએ 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ફરી ઇડીએ તેમની કસ્ટડી માગી તો તેમને 1 એપ્રિલ સુધીની કસ્ટડી આપવામાં આવી હતી. હવે કોર્ટે તેમને 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

EDited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

Soft Drinks Side Effects - ઠંડા પીણાં પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે, આ રોગો શરીરને ઘેરી લે છે, ગરમીથી રાહત મેળવવા માટે શું પીવું જાણો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

વધુ જુઓ..

નવીનતમ

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

આગળનો લેખ
Show comments