Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી દિલ્હીમાં દારૂ થયો મોંઘો, કેજરીવાલ સરકારે દારૂ પર 70 ટકા કોરોના ટેક્સ લગાડ્યો

Webdunia
મંગળવાર, 5 મે 2020 (10:00 IST)
સોમવારે રાત્રે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો હતો, જેમાં દારૂના રેટમાં 70 ટકાનો વધારો થયો હતો. દિલ્હી સરકારે 'સ્પેશિયલ કોરોના ફી' હેઠળ આ ટેક્સમાં વધારો કર્યો છે. વધેલા ભાવો મંગળવારથી લાગુ થશે. દિલ્હી સરકારે MRP પર 70 ટકા વેરો જાહેર કર્યો છે, જેનો મતલબ છે  છે કે દિલ્હીમાં 1000 વાળી દારૂની બોટલ મંગળવારથી 1700 રૂપિયામાં મળશે, 
 
ઉલ્લેખનિય છે કે, સોમવારથી દેશમાં લોકડાઉનના ત્રીજા ફેઝની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાને લીધે લોકડાઉનને બે અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યું છે. જો કે આ વખતે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. તેમાં દારૂના વેચાણને પણ મંજુરી આપવામાં આવી છે. સોમવારથી દેશના ઘણાં શહેરોમાં દારૂની દુકાન ખોલવામાં આવી હતી જ્યાં લાંબી કતારો પણ જોવા મળી હતી. ત્ચારે આજે દિલ્હી સરકારના આ નિર્ણયથી દિલ્હીમાં દારૂ મોંઘો થશે.
 
જો કે રાતોરાત સરકારે ભીડ ઓછી કરવા માટે દારૂના ભાવ વધારી દીધા છે. કહેવાય છે કે રેટ વધી જવાથી હવે દુકાનો પર ભીડ ઘટશે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાની અનેક તસવીરો સામે આવ્યાં બાદ કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ હતી. દિલ્હીમાં 40 દિવસથી વધુ દિવસ બાદ દારૂની દુકાનો સોમવારે ખુલી હતી ત્યારે કેટલીક તો બંધ કરવી પડી હતી કારણ કે દુકાનની બહાર ભેગા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નહતાં. ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments