Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરું

Webdunia
રવિવાર, 13 નવેમ્બર 2022 (16:42 IST)
ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બનેલા પુલ પર શનિવારે મોડીરાત્રે અજાણ લોકોએ બ્લાસ્ટ કરી નાખ્યો. તેનાથી પાટા પર ક્રેક આવી ગયો. સ્થળે દારૂગોળો પણ મળ્યો છે.  બદમાશોએ પુલને ઉડાવી દેવા અને રેલવે ટ્રેકને તોડી પાડવાની યોજના બનાવી હતી. ધમાકાના ચાર કલાક પહેલા જ આ ટ્રેકથી ટ્રેન પસાર થઈ હતી. ઘટના પછી અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે રોકી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
 
13 દિવસ પહેલા શરૂ થયેલી ઉદેપુર-અમદાવાદ રેલવે લાઇનને બ્લાસ્ટ કરીને ઉખેડી નાખવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. 
 
ઘણી જગ્યાએ રેલ્વે લાઇન તૂટી ગઈ છે, ટ્રેકને નુકસાન થયું છે. બ્રિજ પરની લાઇનમાંથી નટ-બોલ્ટ પણ ગાયબ જોવા મળ્યા છે.જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું- ડેટોનેટર વડે પુલને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ડિટોનેટર સુપર 90 શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. રાજસ્થાન પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments