Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાદકટ ચૂપચાપ કરશે લગ્ન, ક્રિકેટર જયદેવ ઉનાદકટ મંગેતર રિની સાથે આણંદમાં 7 ફેરા લેશે, સંગીત સેરેમનીનો વીડિયો આવ્યો સામે

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (17:25 IST)
ભારતીય ક્રિકેટર જયદેવ ઉનાડકટ મંગળવારે મંગેતર રિની સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સમારોહ આજે રાત્રે ગુજરાતના આણંદ શહેરમાં મધુબન રિસોર્ટમાં થશે. જો કે, ઉનડકટ અને રીની બંનેએ લગ્નને લગતી આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી નથી. આ દંપતીએ લગ્નનું ફંક્શન ખાનગી રાખ્યું છે. લગ્નમાં ફક્ત નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
 
સોમવારે સંગીત સમારોહ યોજાયો
 
તેઓ લગ્ન માટે તેમના પરિવારજનો સહિત બે દિવસથી આણંદમાં છે. સોમવારે સંગીત સમારોહ યોજાયો હતો. મંગળવારે ઉનાદકટના મિત્રો દ્વારા તેના કેટલાક વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
 
સગાઈ 15 માર્ચે થઈ હતી
 
ઉનાડકટની મંગેતર રીની વ્યવસાયે વકીલ છે. બંનેએ 15 માર્ચ 2020 ના રોજ સગાઈ કરી હતી, પરંતુ લગ્નની તારીખનું રહસ્ય રાખ્યું હતું. સગાઈના બે દિવસ પહેલા ઉનાડકટે રણજીમાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બનાવી હતી.
 
સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ મંગેતર રિની સાથે આજે રાત્રે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરશે

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments