Webdunia - Bharat's app for daily news and videos

Install App

Terror Attack in Reasi: રિયાસીમાં આતંકવાદી હુમલો, ગોળીબાર બાદ બેકાબૂ બસ ખાઈમાં પડી, 10 શ્રદ્ધાળુઓના મોત

Webdunia
સોમવાર, 10 જૂન 2024 (01:29 IST)
જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં પ્રસિદ્ધ શિવ મંદિર શિવખોડીના દર્શન કરીને પરત ફરી રહેલા મુસાફરોને લઈને આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યા બાદ બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, આ સિવાય 33 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. રિયાસીના એસએસપી મોહિતા શર્માએ 10 મુસાફરોના મોતની પુષ્ટિ કરી છે.
 
ઉલ્લેખનીય છે કે મુસાફરોથી ભરેલી બસ (JK 02 AE 3485) શિવખોડીથી કટરા પરત ફરી રહી હતી. બસમાં 45 મુસાફરો સવાર હતા. પૌની અને શિવખોડી વચ્ચે કાંડા ત્રાયથ વિસ્તારમાં ચંદી મોડ પાસે પહેલાથી જ ઓચિંતો હુમલો કરી ચૂકેલા આતંકવાદીઓએ બસની સામે આવીને ગોળીબાર કર્યો હતો. અચાનક થયેલા ફાયરિંગને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. તમને જણાવી દઈએ કે મુસાફરોથી ભરેલી બસ (JK 02 AE 3485) શિવખોડીથી કટરા પરત ફરી રહી હતી. બસમાં 45 મુસાફરો સવાર હતા. પૌની અને શિવખોડી વચ્ચે કાંડા ત્રાયથ વિસ્તારમાં ચંદી મોડ પાસે પહેલાથી જ ઓચિંતો હુમલો કરી ચૂકેલા આતંકવાદીઓએ બસની સામે આવીને ગોળીબાર કર્યો હતો. અચાનક થયેલા ફાયરિંગને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ.
 
સેના જેવા પોશાક પહેરેલા આતંકવાદીએ ગોળીબાર કર્યો
ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સેના જેવા કપડા પહેરેલો એક આતંકવાદી અચાનક બસની સામે આવ્યો અને તેણે ઝડપથી ગોળીબાર શરૂ કર્યો. ડ્રાઇવરને ગોળી વાગતાની સાથે જ ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને બસ ઊંડી ખાઈમાં પડી. ચારેબાજુ બૂમો પડી રહી હતી. કેટલાક ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 
બે વર્ષ પહેલા કટરા બસ પર પણ હુમલો થયો હતો
છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. રાજોરી-પૂંચમાં સેના પર અનેક હુમલા કરવામાં આવ્યા હતા. આ પહેલા 13 મે, 2022ના રોજ કટરાથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર સ્ટિકી બોમ્બ લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. બસમાં આગ લાગતાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે 24 ઘાયલ થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નસકોરાં બોલાવીને શરીર તમને આપી રહ્યું છે આ જીવલેણ બીમારીઓનાં સિગ્નલ ? જાણો Snoring કોને વધુ આવે છે અને શું છે બચવાના ઉપાય

Cooking Tips: કારેલાનુ શાક કડવુ થઈ જતુ હોય તો આ ટિપ્સ અપનાવી જુઓ

World Brain Tumor Day 2024 - સમય રહેતા ઓળખી લો, સતત માથાનો દુખાવો અને ચક્કર આવવા મગજની બ્રેઈન ટ્યુમરના લક્ષણો હોઈ શકે

શું તમારા યુરિનમાં પણ ફીણ આવે છે ? આ કયા રોગના લક્ષણો છે?

આ ખોરાક છે કેન્સરનું કારણ

વધુ જુઓ..

નવીનતમ

સાંસદ બન્યા પછી કંગના રાનાવતને CISFની મહિલા જવાને મારી થપ્પડ, ચંડીગઢ એયરપોર્ટ પર થયો હંગામો

વરુણ ધવન બન્યા પિતા, નતાશા દલાલે દીકરીને આપ્યો જન્મ

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

જોક્સ

જોકસ- આઈ લવ યુ

આગળનો લેખ
Show comments