Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી-NCRના 80 થી વધુ શાળાઓમા બોમ્બની ધમકી પછી હાહાકાર, પોલીસ તપાસ શરૂ, વિદેશથી આવ્યો હતો ઈ-મેલ

Webdunia
બુધવાર, 1 મે 2024 (11:01 IST)
bom threat delhi
દેશની રાજધાની દિલ્હીના દ્વારકામાં આવેલ DPS શાળામાં સવાર સવારે બોમ્બ હોવાના સમાચારે બધાને હેરાન  કરી નાખ્યા.  દિલ્હી પોલીસે બોમ્બ નિરોધક ટીમ અને અગ્નિશમનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી ગઈ અને શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પૂર્વી દિલ્હીના મયૂર વિહાર સ્થિત મધર્મૈરી શાળામાં આજે સવારે બોમ્બની ધમકીના સંબંધમાં ઈમેલ પ્રાપ્ત થયો. પોલીસે જણાવ્યુ કે શાળાને ખાલી કરવામાં આવી રહી છે અને શાળાના મેદાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.  સાઉથ દિલ્હીના એમિટી શાળા અને નવી દિલ્હીની સંસ્કૃતિ શાળામાં બોમ્બ હોવાની સૂચના મળી છે. 
 
ઘણી શાળાઓને સવારે 4 વાગ્યે મેઈલ મોકલવામાં આવ્યો છે. મેલ એ જ સીસી બીસીસી ઘણી શાળાઓમાં મોકલવામાં આવ્યો છે. આમાં ડીપીએસ વસંત કુંજ, એમિટી સાકેત પણ સામેલ છે. દરમિયાન, ગ્રેટર નોઈડાની શાળાઓમાં ધમકીભર્યા કોલ મળ્યા બાદ નોલેજ પાર્ક સ્થિત શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

NCRની બધી શાળાઓમાં ગભરાટ
દ્વારકા, દિલ્હીની 5 જુદી જુદી શાળાઓમાં બોમ્બની ધમકી, વસંત કુંજની 2 શાળામાં બોમ્બની ધમકી, નજફગઢની 1 શાળામાં બોમ્બની ધમકી, પુષ્પ વિહારની 1 શાળામાં બોમ્બની ધમકી, મયુર વિહારની 1 શાળામાં બોમ્બની ધમકી. આ સિવાય નોઈડાની ઘણી શાળાઓને ઈમેલ મળવાના સમાચાર પણ સામે આવ્યા છે. સાવચેતીના પગલા રૂપે, દિલ્હી એનસીઆરની તમામ શાળાઓ જ્યાં ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા તે તમામ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે અને બાળકોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. એસઓપીનું પાલન કરવામાં આવી રહ્યું છે.
 
હજુ સુધી કંઈ મળ્યું નથી
એનસીઆર સહિત 100થી વધુ શાળાઓને ધમકીભર્યો મેલ મળ્યો છે. દિલ્હીની 50 થી વધુ શાળાઓમાં બોમ્બ ધડાકાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, મોટાભાગની શાળાઓમાં તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોઈ પણ શાળામાં શંકાસ્પદ કંઈ મળ્યું નથી. થોડા સમયની અંદર દરેક જગ્યાએ SOP બદલાશે. ઈમેલ ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, વૃદ્ધોને 6 હજાર રૂપિયાનું પેન્શન, 2 લાખ સરકારી નોકરી... હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

વર-વધુએ મનાવી સુહાગરાત, પછી સાસુએ બતાવ્યુ પુત્રનુ એક રહસ્ય, સાંભળતા જ પત્ની થઈ બેહોશ

વન નેશન વન ઈલેક્શનને મળી મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ થયો પાસ

ભારે વરસાદને કારણે પ્રશાસને કેદારનાથ પદયાત્રાનો માર્ગ રાત્રે બંધ કરવાનો નિર્ણય લીધો

આગળનો લેખ
Show comments