Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિરે લીધી નવનીત રાણાની સોપારી, બોલ્યો 10 કરોડ આપો નહી તો કરીશ રેપ

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (10:43 IST)
Navneet Rana- મહારાષ્ટ્રના અમરાવતીથી અમરાવતીના પૂર્વ સાંસદ અને બીજેપી નેતા નવનીત રાણાને ગેંગરેપની ધમકી આપવામાં આવી છે. રાણાને ગેંગરેપની ધમકીની સાથે પત્રમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા છે. ધમકી આપનાર વ્યક્તિએ પત્રમાં દાવો કર્યો છે કે તેને તેની સાથે બળાત્કાર કરવા માટે સોપારી આપવામાં આવી છે.
 
10 કરોડ રૂપિયાની માંગી ખંડણી  
10 કરોડ આપો તો...આ ધમકીભર્યો પત્ર આમિર નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે હું તારી સાથે બળાત્કાર કરીશ, મેં તારી સોપારી લીધી છે. જો તમે મને 10 કરોડ રૂપિયા આપી દો તો હું તમારો પીછો કરવાનું બંધ કરી દઈશ. પત્રમાં નવનીત રાણાના પતિ વિશે પણ અપશબ્દો બોલવામાં આવ્યા છે. પત્ર મોકલનાર વ્યક્તિએ પોતે હૈદરાબાદનો હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન નવનીત રાણાએ હૈદરાબાદથી બીજેપી ઉમેદવાર માધવી લતા માટે પ્રચાર કર્યો હતો અને જોરદાર ભાષણ આપ્યું હતું.

મહારાષ્ટ્રના અમરાવતીથી પૂર્વ સાંસદ અને ભાજપા નેતા નવનીત રાણાને લેટર મળ્યો છે. લેટરમાં નવનીતને ગેંગરેપની ધમકી આપવામાં આવી છે. સાથે જ કહ્યુ કે તેમના ઘર સામે ગાયને કાપવામાં આવશે. 
 
પત્ર મોકલનારે ખુદને આમિર બતાવ્યુ છે. તેણે 10 કરોડની ખંડણી સાથે જ પાકિસ્તાન જીંદાબાદ પણ લખ્યુ. આરોપીએ લેટરમાં પોતાનો ફોન નંબર પણ લખ્યો. 
 
 
FIR નોંધાઈ
નવનીત રાણાના પતિ રવિ રાણાના પીએ વિનોદ ગુહેએ આ પત્રના સંબંધમાં રાજપેઠ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

નવનીત રાણાના 3 વિવાદાસ્પદ નિવેદનો....
 
8 મે, 2024 ના રોજ, હૈદરાબાદમાં એક રેલીમાં નવનીતે કહ્યું હતું - જો હૈદરાબાદમાં પોલીસ 15 સેકન્ડ માટે પાછી ખેંચે છે, તો ખબર નહીં પડે કે બંને ભાઈઓ (ઓવૈસી ભાઈઓ) ક્યાં ગયા છે. રાણાના આ નિવેદનને અકબરુદ્દીન ઓવૈસીના 2013માં આપેલા ભાષણનો જવાબ માનવામાં આવે છે, જેમાં તેણે કહ્યું હતું કે જો પોલીસને 15 મિનિટ માટે હટાવી દેવામાં આવશે તો અમે 25 કરોડ (મુસ્લિમો) અને 100 કરોડ હિંદુઓનો નાશ કરી દઈશું.
 
નવનીત રાણાને લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી ઉમેદવાર બનાવવાની સાથે ભાજપે તેમને ગુજરાતમાં સ્ટાર પ્રચારક પણ બનાવ્યા હતા. 5 મેના રોજ ગુજરાતમાં પ્રચાર કરતી વખતે નવનીતે કહ્યું હતું કે જે કોઈને જય શ્રી રામ ન બોલવું હોય તે પાકિસ્તાન જઈ શકે છે. આ હિન્દુસ્તાન છે. જો તમારે ભારતમાં રહેવું હોય તો તમારે જય શ્રી રામ બોલવું પડશે.
 
એપ્રિલ 2022 માં નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ શિવસેનાના હજારો કાર્યકરો માતોશ્રીની બહાર એકઠા થઈ ગયા હતા. તેમણે રાણા દંપતી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી નવનીત રાણા અને તેના પતિ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

CCTV - સુરતમાં વેપારીને ટ્રેડમિલ પર ચાલતા આવ્યો હાર્ટ એટેક, CPR આપ્યો છતા ન બચી શક્યો જીવ

ગુજરાત પર બે સિસ્ટમની અસર થશે, 19 ઑક્ટોબર બાદ ફરીથી નવો વરસાદી રાઉન્ડ?

અબ્દુલ કલામ જન્મજયંતિ - અબ્દુલ કલામ છાપુ વેચવાથી લઈને દેશના રાષ્ટ્રપતિ સુધી

વીજળી હોય, પાણી હોય કે શિક્ષણ, દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે, CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો

ડ્રોન હુમલામાં ઇઝરાયલની સેનાના ચાર સૈનિક મૃત્યુ મૃત્યુ

આગળનો લેખ
Show comments