Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર: છપરામાં ઝેરી દારુ પીવાથી 30 લોકોનાં મોત

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (11:50 IST)
બિહારના છપરામાં ઝેરીલો દારૂ પીવાના કારણે ઘણાં લોકોના મૃત્યુ થયા છે. સારણના ડીએમએ બીબીસીને જણાવ્યું હતું કે, આ મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
 
સારણના એસપી સંતોષ કુમારે બીબીસીને જણાવ્યું હતું કે, “પોલીસ એ વિસ્તારના લોકોને કહી રહી છે કે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ જગ્યાએ સારવાર કરાવી રહ્યા છે તો તેઓ સામે આવે. અત્યાર સુધી દસ મૃતકોના પરીવારે દારૂ પીવાની વાતનો સ્વીકાર કર્યો છે. અમે ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છીએ અને લોકોને જાગૃત પણ કરી રહ્યા છીએ. સમગ્ર છપરામાં તપાસ અભિયાન ચલાવી રહ્યા છે, ખાસ કરીને પ્રભાવિત વિસ્તારમાં તપાસ ચાલુ છે.”
 
આ મૃત્યુ બાદ સ્થાનિક લોકોમાં પણ ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. બિહારમાં વિપક્ષ પાર્ટીઓ આ મૃત્યુનું કારણ ઝેરીલા દારૂનું સેવન ગણાવી રહી છે. આ મુદ્દો બિહારથી દિલ્હી સુધી ચર્ચાઈ રહ્યો છે.
 
એનડીટીવીના અહેવાલ અનુસાર, બિહારના છપરામાં કથિત રીતે ઝેરીલો દારુ પીવાથી પીવાથી 14 ડિસેમ્બરે શરૂઆતમાં મૃતકોની સંખ્યા 6 હતી, ત્યારબાદ સાંજ સુધી મૃત્યુ આંક વધીને 24 થઈ ગયો હતો.
 
ગુરુવારે સવાર સુધી મૃત્યુ પામનારની સંખ્યા 30 થઈ ગઈ છે.
 
આ મામલો છપરા સારણના ઇસુઆપુર પોલીસસ્ટેશન વિસ્તારનો છે. સારણના ડીએમએ બીબીસીને કહ્યું હતું કે, હજુ પણ ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક લોકો સ્થાનિક સ્તરે સારવાર કરાવી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારૂબંધી છે. અહીં દારૂની ખરીદી-વેચાણ અને સેવન ગેરકાનૂની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

આગળનો લેખ
Show comments