rashifal-2026

અસમમાં અતિક્રમણ હટાવવા દરમિયાન હિંસા, 2 પ્રદર્શનકારીઓના મોત, 9 પોલીસ કર્મચારી ઘાયલ

Webdunia
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (19:26 IST)
અસમના દરાંગ જીલ્લાના ઘૌલપુર ગોરુખુટી વિસ્તારમાં ગુરૂવારે સ્થાનીક લોકો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ ગઈ. અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચે ઝડપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને નવ પોલીસ કર્મચારી અને બીજા અનેક ઘાયલ થઈ ગયા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસા ત્યારે થઈ જ્યારે ટીમ રાજ્ય કૃષિ પરિયોજના સાથે સંબંધિત જમીન પરથી ગેરકાયદેસર અતિક્રમણકારીઓને હટાવવા ગઈ હતી. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવતા પણ જોવા મળ્યા હતા. પોલીસનું કહેવું છે કે અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો અને પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો. એસપી સુશાંત બિસ્વા સરમાએ કહ્યું કે અમારા નવ પોલીસકર્મી ઘાયલ થયા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા આસામ કેબિનેટે અતિક્રમણ કરનારાઓ પાસેથી જમીનને સંપૂર્ણ રીતે વસૂલવાનો અને તેને રાજ્ય કૃષિ પ્રોજેક્ટમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો
 
આસામ સરકારે સોમવારે દરાંગ જિલ્લાના ધોલપુર ગોરુખુટી ગામમાં મોટાપાયા પર અતિક્રમણ અભિયાન શરૂ કર્યા બાદ 800 થી વધુ પરિવારો બેઘર થઈ ગયા હતા. સરકારે આ અભિયાનમાંથી 4,500 વીઘા જમીન પરત મેળવી . આ ગામમાં મોટાભાગે પૂર્વ બંગાળના મુસ્લિમો રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

આગળનો લેખ
Show comments