Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલામાં કેજરીવાલની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2024 (18:21 IST)
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે.
 
વડા પ્રધાન મોદીની ડિગ્રીના મામલામાં કથિત ટિપ્પણી અંગે કેજરીવાલને આપવામાં આવેલા સમન્સને રદ્દ કરવાની માગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના આ આદેશને રદ્દ કરવા 
 
માટે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી છે.
 
ન્યૂઝ ઍજન્સી એએનઆઈ અને પીટીઆઈ પ્રમાણે જસ્ટિસ ઋષિકેશ રૉય અને જસ્ટિસ એસ.વી.એન ભટ્ટીની બૅન્ચે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની અલગ બૅન્ચે આ જ મામલામાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે દાખલ 
કરેલી અરજીને ફગાવી દીધી છે.
 
ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અને સંજયસિંહની સામે જાહેર કરાયેલા સમન્સને રદ્દ કરવાની માગણી ફગાવી દીધી હતી.અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે ગુજરાત યુનિવર્સિટીએ કરેલી અરજીના આધારે સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિઝબોલ્લાહ પર ઇઝરાયેલે 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા

કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી; કાચ તોડીને બાળકોને બહાર કાઢ્યા

Diwali Recipe- ખસ્તા ખારા શક્કરપારા

25 દિવાળીની સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્ર એક ક્લિકમાં

Maharashtra elections: મુસ્લિમોને લલચાવવાની બીજી ષડયંત્ર? મહારાષ્ટ્ર સરકાર દરગાહ દર્શનનું આયોજન કરશે

આગળનો લેખ
Show comments