Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત બાદ બિહારમાં પણ લઠ્ઠાકાંડ?

Webdunia
રવિવાર, 14 ઑગસ્ટ 2022 (11:13 IST)
બિહારના સારણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કથિતપણે ઝેરી દારૂ પીવાથી છથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
 
ગયા અઠવાડિયે આ જ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સારણના એસપી સંતોષકુમારે કહ્યું, "10 ઑગસ્ટથી અત્યાર સુધી સારણના મસૂધીમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. ગ્રામજનોનો દાવો છે કે આ લોકોએ ઝેરી દારૂ પીધો હતો. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે."
 
તેમણે કહ્યું કે ઝેરી દારૂ વેચનારાઓને પકડવા માટે અભિયાન છેડવામાં આવ્યું છે. બિહારમાં દારૂબંધી હોવા છતાં ગત નવેમ્બરથી અત્યાર સુધી ઝેરી દારૂ પીવાથી રાજ્યમાં 60 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
 
ઉલ્લેખનીય છે તાજેતરમાં જ દેશમાં દારૂબંધી ધરાવતા અન્ય એક રાજ્ય ગુજરાતમાં પણ લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments