Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના પછી હવે નોરોવાયરસ ભારતમાં આપી રહ્યું છે ટેન્શન, સંક્રમણના ડરથી શાળા બંધ રાખવાનો નિર્ણય, જાણો સંપૂર્ણ વિગતો

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2023 (22:49 IST)
ભારતમાં કોરોના વાયરસના કેસ ચોક્કસપણે ઓછા થયા છે, પરંતુ વધુ એક નવા વાયરસે દેશમાં તણાવ વધાર્યો છે. ચીન સહિત વિશ્વના ઘણા વિસ્તારોમાં કોરોના હજુ પણ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતના કેરળ રાજ્યમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. અગાઉ, જ્યારે દેશમાં પ્રથમ વખત કોરોના વાયરસનો કેસ આવ્યો હતો, ત્યારે તે કેરળમાં પણ પ્રથમ વખત આવ્યો હતો. હવે નોરોવાયરસ એક ઉપદ્રવ બની રહ્યો છે.
 
નોરોવાયરસના સંક્રમણથી સરકારનું ટેન્શન વધી ગયું છે. રાજ્યમાં આ નવા વાયરસના પાંચ કેસ આવ્યા છે એટલે કે નોરોવાયરસના 5 કેસની પુષ્ટિ થઈ છે. ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે. કેરળના એર્નાકુલમ જિલ્લાની એક શાળામાં 63 બાળકોએ અચાનક ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી
 
સંક્રમણના ડરથી શાળા બંધ રાખવાનો નિર્ણય
સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે આગામી બે-ત્રણ દિવસ પ્રાઈવેટ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે બાળકો ઉપરાત કેટલાક માતા-પિતામાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. શું તમે જાણો છો નોરોવાયરસ શું છે? આ સંક્રમણના લક્ષણો શું છે. શું તેની સારવાર શક્ય છે?
 
નોરોવાયરસ સંપર્ક દ્વારા ફેલાય છે, જાણો તેના વિશે
નોરોવાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે. નોરોવાયરસને વિન્ટર વોમિટીંગ બગ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોવોવાયરસ ચેપમાં, વ્યક્તિને ગંભીર ઉલ્ટી અને ઝાડા થાય છે. ઘણા લોકો નોરોવાયરસને 'ધ સ્ટમક ફ્લુ' તરીકે પણ ઓળખે છે. જો કે, તેને ફ્લૂ અથવા ઈન્ફલ્યુએન્ઝા સાથે કોઈ લેવાદેવા નથી. તે એક સંક્રમક વ્યક્તિનાં સંપર્કમાં રહેલી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે.
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments