Festival Posters

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ - 8મા પગાર પંચની રચનાને મળી મંજુરી, જાણો કેટલો થશે બેઝિક પગાર

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (18:07 IST)
પ્રધાનમંત્રીએ ગુરૂવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખાસ ભેટની જાહેરાત કરી. સરકારે 8માં વેતન પંચની રચનાને મંજુરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી. સરકાર તરફથી 8માં વેતન પંચને મંજુરી આપવાની જાહેરાત બજેટ 2025 ના માત્ર થોડા દિવસ પહેલા થઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જો કે કહ્યુ કે તેના અમલીકરણની સાચી તારીખ હજુ સુધી  જાહેર નથી થઈ. કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2026માં તેની રચના કરી શકાય છે. તેમણે કહ્યુ કે સાતમા વેતન પંચની ભલામણો પહેલા જ લાગૂ કરવામાં આવી ચુકી છે. સરકાર પ છી પંચની બાકી ડિટેલ્સ વિશે માહિતી આપશે. તેમા સામેલ થનારા સભ્યોની પણ સૂચના આપવામાં આવશે. 
 
સાતમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2016 માં લાગુ કરવામાં આવી હતી.
સમાચાર અનુસાર, અગાઉના કમિશનની જેમ, આનાથી પણ પગારમાં ફેરફાર થવાની ધારણા છે. આમાં નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં સુધારો પણ શામેલ છે. અગાઉ, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે જાન્યુઆરી 2016 માં લાગુ કરેલા 7મા પગાર પંચની ભલામણો 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થશે. એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના મૂળ પગાર, ભથ્થાં, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
 
રાજ્ય સરકારી કર્મચારીઓ પણ રાહ જોઈ રહ્યા છે
કેન્દ્ર ઉપરાંત, રાજ્ય સ્તરે સરકારી કર્મચારીઓ પણ 8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધારીને 2.86 થવાની શક્યતા છે, જે કર્મચારીઓના મૂળ પગાર પર નોંધપાત્ર અસર કરશે.
 
બેઝિક પગાર આટલો વધી શકે છે
ધારો કે જો ફિટમેન્ટ ફેક્ટરને 2.86 માં સમાયોજિત કરવામાં આવે, તો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર રૂ. 18,000 સંભવિત રીતે વધીને રૂ. 51,480 થઈ શકે છે. અહીં અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના સુધારેલા મૂળ પગાર અને પેન્શન નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

દેશભક્તિપૂર્ણ ફિલ્મ 'બોર્ડર 2' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે; આ ફિલ્મ આ દિવસે સિનેમાઘરોમાં આવશે.

Sarangpur Hanuman- સાળંગપુર હનુમાનજી નો ઇતિહાસ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

આગળનો લેખ
Show comments