Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્થરમારો, 20 FIR અને 20 અરેસ્ટ, ત્રિપુરા હિંસાની આગમા સળગી રહ્યા છે મહારાષ્ટ્રના 5 જીલ્લા

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (13:50 IST)
મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓ હવે ત્રિપુરા હિંસાની આગમાં લપેટાઈ ગયા છે. ત્રિપુરામાં સાંપ્રદાયિક હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં રેલીઓ પર પથ્થરમારાની ઘટનાઓના સંબંધમાં ઓછામાં ઓછી 20 FIR નોંધવામાં આવી છે અને 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. શુક્રવારે કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રેલી દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ મુખ્યત્વે અમરાવતી, માલેગાંવ અને નાંદેડ શહેરોમાં બની હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વી મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર 8,000 થી વધુ લોકો મેમોરેન્ડમ સબમિટ કરવા માટે એકઠા થયા હતા. આ આવેદનપત્રમાં લઘુમતી સમાજ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે લોકો મેમોરેન્ડમ સોંપીને જતા રહ્યા હતા ત્યારે કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળના ચિત્રા ચોક અને કોટન માર્કેટ વચ્ચે ત્રણ જગ્યાએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments