Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે પુરૂષ બંધન તોડી નાખતો તેને જ દુલ્હન મળતી હતી

Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (13:05 IST)
જલ્લીકટ્ટૂ પર લાગેલ પ્રતિબંધને ચાલુ રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લાગે છે કે પરંપરા પર કાયદાની જીત થઈ છે. પણ જલ્લીકટ્ટૂ દરમિયાન ખરેખર થાય છે શુ અને સદીઓ જૂના આ પ્રચલન પર રોક લગાવવાનો અર્થ શુ છે ? જલ્લીકટ્ટૂનો શાબ્દિક અર્થ હોય છે "આખલાને ગળે લગાવવુ" જલ્લીનો મતલબ થાય છે સિક્કો અને કટ્ટૂનો મતલબ થાય છે બાંધવુ. 

તેની શરૂઆત ઈસા-પૂર્વ કાળમાં થઈ હતી જ્યારે સોનાના સિક્કાને આખલાના સીંગમાં બાંધીને આ ખોલવામાં આવે છે.  આ રમત દરમિયાન આખાલાને એક વાડામાં છોડી દેવામાં આવે છે અને યુવાન માણસોના ભીડનો અવાજ સાંભળીને આખલા દોડી પડે છે. તમિલ વિદ્વન અને પેરિયારવાદી થો પારામાસિવમ કહે છે, "નૌયુવાન માણસો માટે આખાલાના કૂબડને પકડીને સીંગમાં બાંધેલ સોનાના સિક્કાને કાઢવાનો એક પડકાર છે." 
 
તેઓ કહે છે, "આમા કોઈ પ્રકારની કોઈ હિંસા થતી નથી. 30 ગજની અંદર જ આ બંધન ખોલવાનુ હોય છે. જે ખરેખર થોડાક જ સેંકડ જ હોય છે." 

ગાંધીગ્રામ રુરલ યૂનિવર્સિટી, મદુરોઈમાં તમિલ સાહિત્યના આસિસ્ટેંટ પ્રોફેસર સુંદરકાલી કહે છે, "કૃષિ સાથે જોડાયેલ તહેવારને પોંગલ કહે છે. જલ્લીકટ્ટૂ મટ્ટા પોંગલ દરમિયાન રમવામાં આવે છે." 
 
મોટાભાગના તમિલનાડુના દક્ષિણી જીલ્લામાં જલ્લીકટ્ટૂ રમવામાં આવે છે.  મદ્રાસ ઈંસ્ટીટ્યૂટ ઑફ ડેવલોપમેંટ સ્ટડીઝ (એમઆઈડીએસ) ચેન્નઈના એસોસિએટ પ્રોફેસર સી લક્ષ્મણને જણાવ્યુ, "કોયંબટૂર પાસે રાજ્યના પશ્ચિમી જીલ્લામાં ખેતીમાં ઉપયોગમાં થનારા જાનવરોને નવડાવવામાં આવે છે. તેમને રંગીન માળાઓથી સજાવવામાં આવે છે અને ફરી તેમને જલ્લીકટ્ટૂ માટે લાવવામાં આવે છે." 

એવુ કહેવામાં આવે છે કે આખલાને ભડકાવવા માટે આંખમાં મરચુ નાખવુ અને દારૂ પીવડાવવા જેવી તરકીબોનો પણ ઉપયોગ થાય છે.  
 
પણ સુંદર કાળી આને ખોટી બતાવે છે. "જાનવરોને પ્રતાડિત કરવાની વાતો અફવા છે. બની શકે છે કે કેટલાક લોકો દારૂ પીવડાવે છે. જેવા કેટલાક એથલીટ દોડવાથી પહેલા શક્તિવર્ધક દવા લે છે. પણ ચિંતાની વાત તેમની નસ્લોને પાળવાની કલાને લઈને છે." જે લોકો જલ્લીકટ્ટૂ પર પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. મને શંકા એ વાતને લઈને છે કે છે કે, "તમિલનાડુ આખલાની નસ્લોને વિકસિત કરવાના મામલે પાછળ થઈ જશે. તે તમિલનાડુ આખલાની વિકસિત કરવામાં પાછળ રહી જશે. 
 
પ્રશન એ છે કે ગીર્દીમાં વર્તમાન કોઈ સ્ત્રીનુ દિલ જીતવા માટે જે માણસ બંધન ખોલવાને લઈને ઉતાવળા રહે છે તેમનુ શુ થાય છે ? 
 
પારામાસિવમ જણાવે છે, "હા આ સાથે જ ઈજ્જતનો મસલો જોડાયેલો હતો. જે મર્દ બંધન ખોલી નાખતો હતો. તેના લગ્ન માટે દુલ્હન મળતી હતી પણ હવે એ પ્રચલન નથી." 
 
જો કે લક્ષ્મણના વિચાર આનાથી જુદો છે .. 

તે કહે છે, "આ મૂળ રૂપથી જાતીય ગર્વ અને માણસોની દિલેરીની સાર્વજનિક પ્રદર્શન છે. જો ગોપનીય રીતે ચૂંટણી કરાવે તો મહિલાઓ જલ્લીકટ્ટૂનો વિરોધ કરશે." 
 
"આ ફક્ત જાનવરોના અધિકારનો મુદ્દો નથી. આ સ્ત્રીના માનવાધિકારનો પણ સવાલ છે. જો માણસ આ રમત દરમિયાન ઘાયલ થાય છે કે મરી જાય છે તો એક સ્ત્રીને જ સહન કરવુ પડે છે." 
 
છતા જલ્લીકટ્ટૂના સમર્થનમાં છેવટે બધા રાજનીતિક દળ એક કેમ છે ? 
 
લક્ષ્મણન કહે છે, "કારણ કે આ વર્ષે ચૂંટણી છે અને બધા દળ જલ્લીકટ્ટૂમાં ભાગ લેનારી દબંગ જાતિયોઓનો વોટ મેળવવા માંગે છે.  બની શકે છે કે આ પરંપરા રહી હોય ત્યારની વાત જુદી હતી. હવે સમય બદલાય ચુક્યો છે. હવે આ તમિલ ઓળખ સાથે જોડાયેલ સવાલ નથી."


 

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments