Webdunia - Bharat's app for daily news and videos

Install App

મીડીયાએ સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ

Webdunia
N.D
દેશના મીડિયાએ સમાજમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનોને પહેલા પાનના સમાચાર બનાવવા પડશે. બળાત્કાર, હત્યા અને સ્કેંડલના સમાચારો બનાવીને માત્ર સનસની ફેલાવી શકાય છે પરંતુ આનાથી યુવાનો વ્યવસ્થાની દુર્બળતા અને ખામીઓ સામે લડવાની તાકત નથી જન્માવી શકતા.

આ વિચાર છે વરિષ્ઠ પત્રકાર શ્રી તરુણ વિજયના. એક સ્થાનિક અભ્યાસ મંડળની વ્યાખ્યાનમાળામાં તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યુ કે દેશના લોકો જો પેપર વાંચવાનુ બંધ કરી દે તો ભારતનુ ભવિષ્ય ઉજ્જવળ બની જશે, કારણકે તેમના પાન પર વિચારોની હિંસા સિવાય કશુ હોતુ નથી. તેમણે કહ્યુ કે સારુ સાહિત્ય, સમાજ સેવીની ઉપલબ્ધતા કોઈ સુંદર કલાકૃતિ વગેરે વિશે કેમ નથી છાપતા ? ભારતને ગૌરવ અને સન્માન તો વારસામાં મળ્યુ છે. દુનિયાને વસુદેવ કુટુમ્બક નો પાઠ પણ ભારતે ભણાવ્યો છે.

ભારત સંકોચાઈ રહ્યુ છે.

શ્રી વિજયે કહ્યુ કે પાછલી સદીમાં ભારત સંકોચાયુ છે. લોકોમાં મનભેદ અને મતભેદ બંને વધ્યા છે. કાશ્મીર અને ચીન સાથે જોડાયેલા ભાગની જમીનને આજ સુધી આપણે ભારતની જમીન સાથે જોડી નથી શક્યા. વૈદિક પરંપરામાં વિશ્વાસ કરતા હિન્દુઓની સંખ્યા ઘટી છે. કાશ્મીર અને મિજોરમના હજારો લોકો શરણાર્થીની જેમ જીવન વિતાવી રહ્યા છે.

પ્રગતિનુ માપદંડ ટાટા અને મિત્તલ નથી.

ભારતની પ્રગતિનુ માપદંડ વિજ્ઞાન અને ટેકનીકના આધારે, રતન ટાટા, લક્ષ્મી મિત્તલ જેવા લોકોની પૈસાની તાકત નથી હોઈ શકતુ. પ્રગતિનુ માપદંડ એવુ હૌય કે જે સામાન્ય હિન્દુસ્તાનીને એક સમાન તક મળે. તે ભારતીય ભાષાઓમાં વાંચીને બોલચાલ કરી આગળ વધી શકે. તેમણે કહ્યુ કે જયપુરમાં બોમ્બ ફાટવાની ઘટનામાં માર્યા ગયેલા લોકોની પીડામાં પેદા થયેલી એકતા ભારતનુ ચરિત્ર છે.

સમાજમાં પાખંડો

શ્રી વિજયે કહ્યુ કે સમાજમાં પાખંડો ઘણા છે. વંચિત અને દલિતોને દૂર રાખી રહ્યા છે. આ લોકોનો ઉપયોગ ફક્ત વોટ માટે જ કરવામાં આવે છે. મરનારા લોકોની સંખ્યા ગણી રહ્યા છે પણ તેનુ દર્દ અંદરથી નથી અનુભવી રહ્યા. મહિલાઓને પ્રોત્સાહિત કરવાની વાત બકવાસ છે. આપણે આજે પણ આપણા પ્રતિકો પ્રત્યે અભિમાન જન્માવી શક્યા નથી. આ બધાનો સામનો કરવા માટે આપણી વિદ્યા અને ચરિત્રનો વિકાસ જ યોગ્ય માર્ગ છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments