Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલિનતાને કારણે માટીની મહેંક છીનવાશે ?

વિશ્વ પર્યાવરણ વિશેષ

કલ્યાણી દેશમુખ
W.D
પુસ્તકોમાં લખાય છે કે પોતાના દેશની માટીની સુગંધ બહુ સારી લાગે છે. પુસ્તકો અને ફિલ્મોની વાત છોડી દો તો શુ તમે આ સુગંધનો વાસ્તવમા અનુભવ કર્યો છે ? જો હા, તો તમે ખુશનસીબ છો, અને ના તો આ જ યોગ્ય સમય છે માટીના હાલ-ચાલ જાણવાનો.

જેમ માટીમાં રમીને આપણે મોટા થયા, માટીના રમકડાં બનાવીને આપણુ ઘર સજાવવાના સપના સજાવ્યા, શુ આ માટી આ જ રૂપમાં આપણી આવનારી પેઢીના બાળકોના નસીબમાં હશે ખરી.

તમને લાગશે કે હુ આ મામૂલી માટીને લઈને આટલા પ્રશ્નો કેમ કરી રહી છુ ? પણ માટી તમે સમજો છો એટલી મામૂલી નથી હોતી. આ માટીની ઉર્વરતાને કારણે જ આપણને અનાજ મળે છે, આ જ અનાજથી આપણુ પોષણ થાય છે અને આપણે જીવીત રહીએ છીએ. આની જ બુનિયાદ પર આપણુ ઘર, આપણા કારખાના ઉભા થાય છે. પોતાના વિકાસથી ઘેલો માનવી આજે પોતાની બુનિયાદ, તે માટી વિશે નથી વિચારે રહ્યો જેના પર તેમને વિકાસની ઈમારત બનાવી છે.

વિકાસની આંધળી દોડ પાછળ આપણે કુદરતને જે નુકશાન પહોંચાડ્યુ છે, તેમા પાણી અને હવાની સાથે માટીનો પણ સમાવેશ થાય છે. પાણી પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણને રોકવાની દિશામાં તો થોડાક પ્રયત્નો પણ કરવામાં આવે છે, પરંતુ પર્યાવરણના હિતેચ્છુઓ માટી તરફ જોતા પણ નથી.

કેમિકલ્સ, બાયો મેડિકલ વેસ્ટ, પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રોનિક વેસ્ટને માટીમાં નાખીને આપણે માટીને બીમાર કરી નાખી છે અને સતત પહેલા કરતા પણ વધુ કચરો ફેકીને તેને વધુ બીમાર કરી રહ્યા છીએ. હોસ્પિટલોમાંથી નીકળતા બાયો મેડિકલ વેસ્ટ રોજ શહેરથી દૂર કોઈને ખાલી જમીન પર પટકી દેવામાં આવે છે. આમાં એંટિબાયોટિક્સ, દવાઓ, પ્લાસ્ટિકનો કચરો હોવાની સાથે સાથે સૂક્ષ્મ કીટાણુ, જીવાણુ વગેરે હોય છે. ટૂંકમાં બીમારીની જડને માટી પર ઠાલવવામાં આવે છે. માટી વિશે એક પ્રખ્યાત ધારણા છે કે આ બધુ જ પોતાની અંદર મેળવી લે છે. પરંતુ પ્લાસ્ટિક કદી માટીમાં મળતુ નથી જે દવાખાનાઓમાંથી ફેંકવામાં આવે છે. આટલુ જ નહી આ કચરામાં વાપરેલી બેંડેડ, પાટાઓ વગેરે પણ હોય છે, જેના પર એંટિબાયોટિક્સ લાગેલા હોય છે. જ્યારે આ પટ્ટીઓ માટીમાં ફેંકવામાં આવે છે તો તેના પર લાગેલી દવાના કેટલાક જીવાણુઓ અમારા પરિસ્થિતિ તંત્ર માટે ખૂબ મહત્વશીલ હોય છે, કેટલાક નાઈટ્રોજનને સ્થિર કરી પાક માટે લાભકારક હોય છે, આવા જીવાણુઓનો નાશ આપણે માટે બધી જ રીતે હાનિકારક છે.

આ સિવાય કોમ્પ્યૂટર, મોબાઈલ્સ, જૂના ટીવી અને ખરાબ બેટરીઓનુ રિસાઈકલિંગ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો અમારા પર્યાવરણને નુકશાન પહોંચે છે.

કલ્પના કરો કે તમારા ઘરમાં એકબાજુ પોલીથીનનો ઢગલો પડ્યો છે અને બીજી બાજુ ડિસ્પોજલ, તૂટેલી બેટરી, પાણીની બોટલ્સ અને બેઢંગી રીતે મોકલેલા કોમ્પ્યૂટર્સ પડ્યા છે. આટલુ જ વિચારતા જ એક ગભરામણ થઈ ગઈ ને ? એક વિખરાયેલા ઘરને વ્યવસ્થિત ગોઠવવું સરળ છે, પરંતુ એક વાર જો ધરતી આ રીતે અવ્યવસ્થિત થઈ ગઈ તો તેને વ્યવસ્થિત કરવી આપણે માટે સહેલી વાત નથી.

પહેલા વરસાદથી માટીની જે સુગંધ ઉત્પન્ન થાય છે તે શુ કોઈ અત્તર તમને કરાવી શકે છે ? કોઈ સુગંધ તમારામાં તે તાજગી ભરી શકે છે જે માટીની સુગંધ ભરી દે છે ?

ધરતીને આપણે માઁ કહીએ છીએ, અને ધરતી માટીથી જ છવાયેલી છે. જો આપણે દિલથી ધરતીને આપણી માઁ માનતા હોય તો પોતાની માઁ સાથે આપણે આવો વ્યવ્હાર કેવી રીતે કરી શકીએ છીએ.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments