Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવરાત્રી સ્પેશ્યલ : ભક્તો દ્વારા શિવજીની જળ કેમ ચઢાવાય છે ?

Webdunia
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્ત જળ અને બેલપત્રથી શિવજીનો અભિષેક કરે છે. તેની પાછળ એક મોટુ કારણ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે.

શિવ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે સાગર મંથન સમયે જે હાલાહલ નામનુ વિષ નીકળવા લાગ્યુ ત્યારે તેના પ્રભાવથી બધા દેવતા અને જીવ જંતુ વ્યાકુળ થવા લાગ્યા. આવા સમયે ભગવાન શિવે વિષને પોતાની અંજલીમાં લઈને પી લીધુ.

વિષના પ્રભાવથી ખુદને બચાવવા માટે શિવજીએ વિષને પોતાના કંઠમાં જ રાખી લીધુ. જેનાથી શિવજીનો કંઠ ભૂરો પડી ગયો અને શિવજી નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા.

પણ વિષના પ્રભાવથી શિવજીનુ મસ્તિષ્ક ગરમ થઈ ગયુ. આવા સમયે દેવતાઓએ શિવજીના માથા પર પાણી ચઢાવવાનું શરૂ કરી દીધુ. જેનાથી તેમના મસ્તિષ્કની ગરમી ઓછી થઈ.

બિલના પત્તાની તાસીર પણ ઠંડી હોય છે તેથી શિવજીને બેલપત્ર પણ ચઢાવવામાં આવ્યા. બસ એ સમયથી જ શિવજીની પૂજા જળ અને બિલીપત્રથી કરવાની શરૂ થઈ ગઈ.

બિલીપત્ર અને જળથી શિવજીનું મસ્તિષ્ક ઠંડુ રહે છે અને તેમને શાંતિ મળે છે. તેથી બિલીપત્ર અને જળથી પૂજા કરનારા પર શિવજી પ્રસન્ન થાય છે.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments