Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahashivratri 2024: આ વખતે છે મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રતનો દુર્લભ સંયોગ, વ્રતના આ નિયમોને ધ્યાનમાં રાખો, તમને મળશે ભરપૂર લાભ

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2024 (23:28 IST)
Mahashivratri 2024: આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચ, શુક્રવારે ઉજવવામાં આવશે. ભોલેનાથના ભક્તો આ દિવસે પૂરા દિલથી શિવની પૂજા કરે છે અને આ મહાન તહેવારની ભક્તિમાં લીન થઈ જાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 
 
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીની ભવ્ય શોભાયાત્રા તેમના લગ્નના પ્રતીક તરીકે વિવિધ સ્થળોએ ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવે છે. સર્વત્ર હર હર મહાદેવના જયઘોષના ગુંજ સંભળાય છે. પરંતુ શું તમે એક વાત જાણો છો, આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ દુર્લભ છે, આ દિવસ ભગવાન શિવના ઘણા બધા આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મહાશિવરાત્રિની સાથે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે.
 
હિન્દુ પંચાગ મુજબ આ દિવસે શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ જેવા શુભ સંયોજનો પણ બની રહ્યા છે, જે ઘણા વર્ષો પછી બની રહ્યા છે. આ અર્થમાં આ શિવરાત્રી ખૂબ જ પવિત્ર અને શિવના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ પણ છે. જો તમે ભગવાન શિવના અદ્ભુત આશીર્વાદ મેળવવા માંગો છો, તો આ દિવસે વ્રત કરો  અને આ વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે વિશે પણ જાણો.
 
પ્રદોષ કાલનો સમય- 
મહાશિવરાત્રિ, શુક્રવાર 8 માર્ચ 2024 ના રોજ, 
પ્રદોષ કાળનો સમય સાંજે 6.25 થી 8.52 સુધીનો રહેશે.
 
વ્રતના આ નિયમોનું રાખો ધ્યાન 
- સૌથી મહત્વપૂર્ણ અને પહેલો નિયમ એ છે કે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સ્નાન કરવું. 
- આ દિવસે તીર્થ સ્નાન કરવું વધુ સારું રહેશે, જો આ શક્ય ન હોય તોન્હાવાના પાણીમાં ગંગા જળ નાખીને સ્નાન કરો.
- સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી લો અને જળથી આચમન કરીને વ્રતનો  સંકલ્પ લો.
- પૂજા વિધિ મુજબ  વ્રત દરમિયાન કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો અને કોઈની સાથે ઝઘડો ન કરો.
- વ્રત દરમિયાન ફ્રુટ, ડ્રાય ફ્રૂટ્સ, મખાના, સેધાલૂણ, સાબુદાણાની ખીચડી વગેરે જેવી ફળાહારી વસ્તુઓ ખાઓ.
- મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રતના દિવસે ભૂલથી પણ માંસ, દારૂ, ડુંગળી, લસણ અને અન્ય તામાસી  વસ્તુઓ ન ખાવી. એવું માનવામાં આવે છે કે જે લોકો - આ નિયમનું પાલન નહીં કરે તેમને ભગવાન શિવનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.
-ફળ આહારમાં તમે જે પણ વસ્તુઓ ખાઓ છો, તે સૌથી પહેલા ભગવાન શિવ અને મા પાર્વતીને અર્પણ કરો.
- જ્યાં સુધી પૂજાની વાત છે તો આ દિવસે પ્રદોષ કાળમાં શિવની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે. તેમજ માતા પાર્વતીના આશીર્વાદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments