Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivratri 2022: મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલ

Webdunia
સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (23:53 IST)
દેવોના દેવ મહારાજને પ્રસન્ન કરવા અને તેમની પૂજા-આરાધના માટે શિવરાત્રિના દિવસે સૌથી શુભ માનવામા આવે છે. આ કારણે શિવ ભક્ત આ દિવસે આખુ વર્ષ રાહ જુએ છે. આ દિવસને મહાશિવરાત્રિ ( Maha Shivratri 2022 )ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દરેક વર્ષ ફાગણ મહિનનઈ કૃષ્ણ પક્ષની કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આ પર્વને ધૂમધામથી આખા દેશમાં ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતી ( Shiv-parvati vivah )ના વિવાહ સંપન્ન થયો હતો. આ ખુશીમાં શિવ અને મા પાર્વતીના ભક્ત આ દિવસને એક તહેવારના રૂપમાં સેલિબ્રેટ કરે છે.  આ દરમિયાન શિવ ભક્ત તેમને અનેક પ્રકારની વસ્તુઓનો ભોગ લગાવે છે અને ભક્તિમાં શિવ પાર્વતી માટે વ્રત પણ રાખે છે. 
 
આમ તો આ દિવસે પૂજા માટેના નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે કંઈપણ ખોટું કરવું અશુભ છે અને તેમ છતાં પણ કેટલાક લોકો ભૂલો કરે છે. અમે તમને બતાવી રહ્યા છીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ.
 
દાન ન કરવુ 
 
ઘણી વખત લોકો પૂજાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, પરંતુ આ પવિત્ર દિવસે ઘરે આવતા સાધુઓને ખાલી હાથ પાછા ફરે છે. શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે દાન કરવું ખૂબ જ શુભ હોય છે. જો તમે ઈચ્છો તો મંદિરમાં જઈને દાન પણ કરી શકો છો. આ દિવસે દાન કરવું તમારા અને તમારા પરિવાર માટે ઘણું સારું સાબિત થઈ શકે છે
 
નવા કપડાં ફરજિયાત નથી
કહેવાય છે કે આ દિવસે પૂજા માટે નવા કપડા પહેરવા ફરજીયાત નથી, પરંતુ તમે જે કપડાં પહેરવા જઈ રહ્યા છો તે ભૂલથી પણ ગંદા ન હોવા જોઈએ. કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે તમે ધોયેલા કપડા પહેરી શકો છો. કોશિશ કરો કે કપડું લાલ રંગનું હોવું જોઈએ, કારણ કે આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નની ખુશીમાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગ્ન માટે લાલ રંગને શુભ માનવામાં આવે છે.
 
મેકઅપ ન કરો 
 
ઘણી સ્ત્રીઓ આ દિવસે મેકઅપ પહેરીને પૂજા કરવા જાય છે. ભલે મેકઅપ કરવું સારું માનવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે આ દિવસે પૂજા કરતી મહિલાઓએ મેકઅપ કરવાથી બચવું જોઈએ. પૂજામાં તમે જેટલી સરળ રીતે ધ્યાન કરશો તેટલું જ તે શુભ માનવામાં આવે છે..
 
ચઢાવેલી સામગ્રી 
 
બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને ચઢાવવામાં આવેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. કહેવાય છે કે આ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે ચઢાવવામાં આવેલી સામગ્રીનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો દર વખતે આ ભૂલનું પુનરાવર્તન કરે છે.
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments