Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP Election 2023: 'BJP ના લોકો વિચારી રહ્યા છે કે ખરીદી લઈશુ, હવે આવુ નહી કરી શકે' કમલનાથનો ભાજપા પર ટોણો

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2023 (14:08 IST)
MP Election Result 2023 - કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રવિવારે કહ્યુ કે ચૂંટણી પરિણામને લઈને જે સમાચાર આવી રહ્યા છે તે પોતાના પક્ષમાં છે. ભાજપાના લોકો વિચારી રહ્યા છે કે લોકોને(ધારાસભ્યોને) ખરીદી લેશે, પણ હવે તેઓ આવુ નહી કરી શકે. કારણ કે આ વખતે અમે બધા કોગ્રેસી પ્રચંડ બહુમતથી સરકાર બનાવીશુ. 
 
આ વાત કમલનાથે પાર્ટીના ઉમેદવાર અને મતગણના અભિકર્તાઓના પ્રશિક્ષણના વર્ચુઅલી સંબોધિત કરતા કહી. પ્રદેશ કોંગેસ કાર્યાલયમાં મતગણનાની તૈયારીઓને લઈને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેમા પહેલા ચરણમાં રીવા, શહડોલ, જબલપુર,  ગ્વાલિયર, ચંબલ અને બીજા ચરણમાં ઈન્દોર, ઉજ્જૈન,  નર્મદાપુરમ,  ભોપાલ અને સાગરના સંભાગના ઉમેદવાર અને તેમના મતગણતરીના અભિકર્તાઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યુ. 
 
કોંગ્રેસ 140થી વધુ સીટો જીતશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માએ દાવો કર્યો હતો કે પાર્ટી 140થી વધુ બેઠકો જીતશે. કોઈપણ ઉમેદવારને ક્યાંય લઈ જવાની જરૂર રહેશે નહીં. દરેક વ્યક્તિ પ્રક્રિયાથી વાકેફ રહે તે માટે તાલીમ આપવામાં આવી રહી છે. બીજી તરફ પૂર્વ નાણામંત્રી તરુણ ભનોતે કહ્યું કે આ ચૂંટણી જનતા લડી છે અને જનતા જ જીતશે.
 
તેમણે કહ્યું કે મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ ઉમેદવારો અને તેમના એજન્ટોને તાલીમ આપવામાં આવી છે. આ પ્રસંગે પૂર્વ વિપક્ષના નેતા અજય સિંહ અને અન્ય કેટલાક ઉમેદવારો ભોપાલની બહાર હોવાના કારણે આવ્યા ન હતા. જોકે, તેના એજન્ટો આવી પહોંચ્યા હતા.
 
મતગણના પર દરેક ક્ષણ પર નજર રાખવા પર જોર 
પ્રશિક્ષણ  દરમિયાન જે.પી.ધનોપિયા, મહેન્દ્ર જોષી અને શશાંક શેખરે જણાવ્યું કે મતદાન કર્યા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને સીલ કર્યા બાદ મતગણતરી સમયે ખોલવામાં આવેલા વોટિંગ મશીન સાથે આપેલા દસ્તાવેજોના નંબરો મેચ કરો. રાજ્ય કોંગ્રેસ દ્વારા ફોર્મેટ 17Cમાં કુલ મતદારો, પડેલા મત અને સીલ નંબર વિશેની માહિતી માંગવામાં આવી હતી.
 
ડાક મત પત્રોની થશે ગણતરી 
પહેલા પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. તેના પર ખૂબ જ કાળજીપૂર્વક અને નજીકથી નજર રાખો. દરેક બેલેટ પેપર જુઓ અને તમે સંતુષ્ટ થાઓ પછી જ મતગણતરી આગળ વધવા દો. EVMમાં નોંધાયેલા મતોની ગણતરી અડધા કલાક બાદ શરૂ થશે. દરેક ચક્રની ગણતરી કર્યા પછી, તેની એક ચકાસાયેલ નકલ લો. મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી સ્થળ છોડશો નહીં, પછી ભલે પરિણામ ગમે તે આવે. પ્રમાણપત્ર લીધા પછી, તેમાં દાખલ કરેલી બધી માહિતી કાળજીપૂર્વક તપાસો. તમારે જે પણ વાંધો ઉઠાવવો હોય, તે લેખિતમાં કરો અને ચોક્કસપણે તેની સ્વીકૃતિ મેળવો.
 
 
કંટ્રોલ રૂમમા બેસશે બંને પૂર્વ મુખ્યમંત્રી 
મતગણતરી પર નજીકથી નજર રાખવા માટે ભોપાલમાં કોંગ્રેસ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મત ગણતરીની શરૂઆતથી લઈને પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા ભોપાલથી તમામ જિલ્લાઓમાં મત ગણતરી પર નજર રાખશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments