Biodata Maker

સ્ત્રીઓ કયા કારણસર અન્ય પુરૂષો સાથે અનૈતિક સંબંધો બનાવે છે

Webdunia
બુધવાર, 16 માર્ચ 2022 (17:25 IST)
મોટાભાગે જોવામાં આવે છે કે પરણેલે સ્ત્રીઓ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બનાવે કે પછી આ કારણ ક્યાક કોઈ મર્ડર થઈ ગયુ. ભારતીય સમાજ માટે આ પ્રકારની ઘટનાઓ સારા સંકેતો નથી. પણ ક્યારેક તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે છેવટે આવુ કેમ થાય છે. કોઈપણ મહિલા કે પુરૂષ પોતાના જીવનસાથીને દગો કેમ આપે છે ? આ બધા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 
 
પશ્ચિમી સભ્યતાઓનો પ્રભાવ - પશ્ચિમી દેશોમાં મોટાભાગના યુવક-યુવતી લગ્ન પહેલા જ સેક્સ આનંદ પ્રાપ્ત કરી ચુક્યા હોય છે. ત્યા સ્ત્રી-પુરૂષ એકને છોડીને બીજાની સાથે લગ્ન કરી લે છે. તેમના વૈવાહિક સંબંધો પણ થોડા દિવસમાં જ તૂટી જાય છે.   ફરક એટલો છે કે એ લોકો આ પ્રકારના અનૈતિક સંબંધોને ઉછાળતા નથી. આ પ્રકારના સંબંધોનો ભારત જેવા દેશોમાં આવવુ આપમેળે જ સ્ત્રીને બીજા પુરૂષ પાસે જવા માટે ઉત્સાહિત કરે છે. 
 
પૈસાની લલક અને ઈચ્છા - પૈસાની લલક અને ઈચ્છામાં પણ મહિલાઓ કોઈ શ્રીમંત વ્યક્તિ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે. પતિ દ્વારા તેમની ઈચ્છાઓ પૂરી ન કરવી ઓછી આવકને કારણે એશોઆરામની જીંદગી ન આપી શકવાને બદલે મહિલાઓ બહાર કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ બનાવવા માટે પણ રાજી થઈ જાય છે. 
 
સમાન વયમાં લગ્ન ન થવુ - કોઈપણ યુવતીના લગ્ન સમાન વયના યુવક સાથે ન કરવા એક ખૂબ મોટી સમસ્યા છે. યુવતીના લગ્ન ભલે મોટી વયના યુવક સાથે થાય કે નાની વયના યુવક સાથે એ બંને સ્થિતિમાં યુવતી જ પરેશાન થાય છે.  અયોગ્ય લગ્નને કારણે પુરૂષને સેક્સથી સંતુષ્ટિ મળી જાય છે પણ સ્ત્રીને સેક્સથી સંતુષ્ટિ થતી નથી. 
 
એકલતા - અનેકવાર પતિ સાથે ન હોવાને કારણે મહિલા એકલતા અનુભવે છે. અનેકવાર પાર્ટનર કામ માટે દેશમાંથી બહાર જાય છે. પાર્ટનરની કમીને દૂર કરવા માટે તે બહાર સહારો શોધી લે છે. 
 
પરસ્પર ન બનવુ - દરેક પતિ-પત્ની વચ્ચે લડાઈ થાય છે. પણ જરૂર કરતા વધુ લડાઈ સંબંધોને ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો બંનેનું પરસ્પર બિલકુલ નથી બનતુ તો બંને સંબંધો બનાવવામાં પણ કતરાશે. આ પરિસ્થિતિમાં મહિલાઓ બહાર સંબંધો બનાવવા માંગશે. અનેકવાર તેઓ આવુ કરી પણ લે છે. 
 
સેક્સમાં અસંતુષ્ટિ - અનેકવાર મહિલાઓ પોતાના પતિ સાથે યૌન સંબંધોથી સંતુષ્ટ થતી નથી. આ વાતને તેઓ સાર્વજનિક રીતે પત્નીને બોલી શકતી નથી. આ કારણે પણ તે બહારની તરફ ભાગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ રીતે મફત રાશન અને મફત વીજળી આપતા રહેશો તો... સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને લગાવી ફટકાર

T 20 વર્લ્ડ કપ 2026 - ‘Super 8’ નુ આખુ ગણિત, જાણો કોણ પહોચશે અને કેવી રીતે નક્કી થશે સેમીફાઈનલની તસ્વીર

ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય: CCE ભરતીમાં 1180 જગ્યાઓનો વધારો, હવે કુલ 6550 પદો ભરાશે

Career in Food Inspector : ફૂડ ઇન્સ્પેક્ટરેટ

ગુજરાત સરકારનું મહત્વનું પગલુ : નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ' કાર્યરત

વધુ જુઓ..

ધર્મ

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

આગળનો લેખ