Webdunia - Bharat's app for daily news and videos

Install App

એનડીએ મજબૂત છે - રાજનાથ

ભાષા
મંગળવાર, 12 મે 2009 (11:51 IST)
રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) દિવસે દિવસે વધુ મજબૂત બની રહ્યો હોવાનો દાવો કરતાં ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે અહીંયા એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પાંચ દળોએ એનડીએનો હાથ પકડ્યો છે. જ્યારે એક માત્ર સંગઠને હાથ છોડ્યો છે.

હોંશિયારપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, એક માત્ર બીજુ જનતા દળે એનડીએ સાથે છેડો ફાડ્યો છે જ્યારે દક્ષિણના પાંચ પક્ષો એનડીએ સાથે જોડાયા છે.

તેમણે આ વાત ઉપર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, એનડીએને પૂર્ણ બહુમત મળશે જ અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનશે.
કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) ઉપર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે યુપીએ તમામ મોરચે અસફળ રહી છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, યુપીએના કાર્યકાળ દરમિયાન યુવાઓમાં બેરોજગારી વધી છે અને જેનાથી તેમનામાં નશાની પ્રવૃત્તિ અને ગેરકાનુની ગતિવિધિઓ વધી રહી છે. ભાજપના સત્તામાં આવ્યા બાદ તેમણે વિદેશી બેંકોમાં રહેલા કાળા નાણાંને પરત લાવવાની વાત કહી હતી.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments