Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Essay - સરદાર વલ્લભભાઈ પટેલ

Webdunia
' આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહી પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે.' સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પંડિત જવાહરલાલ નહેરુએ આપેલી આ અંજલિ લોખંડી પુરૂષના યથાર્થ દર્શન કરાવે છે.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલનો જન્મ ચરોતરના ખેડૂત કુટુંબમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમનું વતન કરમસદ હતુ. તેઓ મેટ્રિક થયા પછી આગળ ભણી શકાય તેવી ઘરની સ્થિતિ ન હોવાથી ડિસ્ટ્રિક પ્લીડરની પરીક્ષા આપી તેઓ ગોધરામા વકીલાત શરૂ કરી.

તેમનું સ્વપ્ન હતુ કે તેઓ બેરિસ્ટર બનવા વિલાયત જાય, અને તેમનું સ્વપ્ન પુરૂ થયુ અને તેઓ 1910માં વકીલાત માટે ઇગલેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. તેમણે અમદવાદમાં વકીલાતની શરૂઆત કરી. 1931માં તેઓ અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયા હતા, તે દરમિયાન જ તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમના મુખ્ય સૈનિક બન્યા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ ડગાયા નહી.

ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા. આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતી પર શત શત નમન.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments