Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન અને કાંબલીના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે મુંબઇમાં નિધન

Webdunia
ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (10:07 IST)
ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે બુધવારે મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેમનું નિધન મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક નજીક આવેલા તેમના નિવાસસ્થાને થયું છે. આચરેકર લાંબા સમયથી બિમાર હતાં. રમાકાંતના નિધનની તેમની પત્ની રશ્મી દેવીએ જાહેરાત કરી છે. તેંડુલકરને બાળપણની લઈને ક્રિકેટના ભગવાન બનાવવા આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આચરેકરને ક્રિકેટમાં આપવામાં આવેલા યોગદાન બદલ વર્ષ 2010માં પદ્મશ્રી અને દ્રોણાચાર પુરસ્કાર (1990મા)થી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. રમાકાંત આચરેકરના કોચિંગમાં જ સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, સમીર દીઘે, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા અનેક દિગ્ગજ ક્રિકેટરો દેશને આપ્યા. આચરેકરના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આચરેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments