Biodata Maker

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Webdunia
મંગળવાર, 22 એપ્રિલ 2025 (11:54 IST)
Pope Francis Funeral: ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના નિધન બાદ ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર છે. દરેકની નજર તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ પર છે.
 
વીંટી તોડવાની પરંપરા
પોપના મૃત્યુની જાહેરાત પણ ખાસ પરંપરાને અનુસરીને કરવામાં આવે છે. વેટિકન સિટીના વરિષ્ઠ કાર્ડિનલ્સ પોપના મૃત્યુની જાહેરાત કરે છે. પોપ ફ્રાન્સિસના મૃત્યુની જાહેરાત કેવિન ફેરેલ દ્વારા કરવામાં આવી હતી. આને કેમરલેંગો કહેવામાં આવે છે. કૅમરલેન્ગો ચર્ચના અન્ય વરિષ્ઠ કાર્ડિનલ્સના જૂથને પોપના મૃત્યુ વિશે જાણ કરે છે. જેને કાર્ડિનલ કોલેજ કહેવામાં આવે છે. કાર્ડિનલ આ અંગે વેટિકન વહીવટીતંત્રને જાણ કરે છે. આ પછી વેટિકન પ્રશાસને પોપના નિધન અંગે મીડિયાને માહિતી આપી. આ પછી પોપના શાસનનો અંત તેમની વીંટી તોડીને થાય છે. આ વીંટીનો ઉપયોગ પોપ દ્વારા દસ્તાવેજો પર સીલ તરીકે કરવામાં આવે છે. આ પછી પોપના ચેપલને સીલ કરવામાં આવે છે.
 
હૃદય કાઢવાનીની પરંપરા
16મીથી 19મી સદી સુધી, પોપના મૃત્યુ પછી તેમના હૃદયને કાઢવાની અને સાચવવાની પરંપરા હતી. એવું માનવામાં આવે છે કે પોપના મૃત્યુ પછી, તેમના શરીરને અંતિમ દર્શન માટે સાચવવામાં આવ્યું હતું. આ દરમિયાન શરીરના અનેક અંગો કાઢી નાખવામાં આવ્યા હતા. રોમના એક ચર્ચમાં કેટલાય પોપના હૃદય આરસના ભંડારમાં સચવાયેલા છે. 19મી સદી પછી આ પરંપરા બંધ થઈ ગઈ.

16મીથી 19મી સદી દરમિયાન પોપના અંતિમ સંસ્કારના અન્ય રિવાજમાં શરીરને સાચવવા માટે પોપના ત્રણ અંગો કાઢી નાખવાનો સમાવેશ થતો હતો. આજની તારીખમાં, 22 પોપના હૃદય, યકૃત, બરોળ અને સ્વાદુપિંડ સચવાયેલા છે.
 
પોપ કોણ છે
કેથોલિક ખ્રિસ્તીઓમાં ધાર્મિક નેતાનું સર્વોચ્ચ સ્થાન પોપનું છે. તેનો અર્થ પિતા. વેટિકન સિટીના પોપ શાસન કરે છે. હોલી સી એ રોમન કેથોલિક ચર્ચ અને પોપના રાજદ્વારી પ્રતિનિધિ છે. તેનું મુખ્ય મથક વેટિકન સિટીમાં છે. ખ્રિસ્તી ધર્મની બાબતોમાં, દરેક પોપના આદેશોને સ્વીકારે છે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

આગળનો લેખ
Show comments