Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો. અબ્દુલ કલામના અધૂરા સ્વપ્ન - એયરફોર્સમાં પાયલોટ બનવા માંગતા હતા ડો. કલામ

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (17:56 IST)
મિસાઈલ મેનના રૂપમાં ઓળખ બનાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ પાયલોટ બનવા માંગતા હતા. પણ તેઓ પોતાના સપનાના એકદમ નિકટ પહોંચીને ચૂકી ગયા હતા. ઈંડિયન એયરફોર્સમાં એ સમયે 8 સ્થાનો ખાલી હતા અને ઈંટરવ્યુમાં કલામનો નંબર નવમો હતો. કલામે આ વાતનો ઉલ્લેખ પોતાનુ પુસ્તક 'માય જર્ની : ટ્રાંસફોર્મિંગ ડ્રીમ્સ ઈંટ્ર એક્શંસ' માં કર્યો હતો. 
 
મદ્રાસ ટેકનિકલ ઈંસ્ટિટ્યૂટથી એરોનૉટિકલ ઈંજિનિયરિંગનો અભ્યાસ કરનારા કલામે પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે તેમના ઉપર પાયલોટ બનવાનુ ઝનૂન હતુ.   તેમણે લખ્યુ હતુ, 'મારુ સપનું હતુ કે હવામાં ખૂબ જ ઉંચી ઉડાન દરમિયાન મશીનને કંટ્રોલ કરુ.' 
 
કલામને ઈંટરવ્યુ માટે બે સ્થાનો પરથી કોલ આવ્યો હતો - પહેલો દેહરાદૂનમાં ઈંડિયન એયરફોર્સની તરફથી અને બીજો દિલ્હીમાં ડિફેંસ મિનિસ્ટ્રીના તકનીકી વિકાસ અને ઉત્પાદન નિદેશાલય (DTDP) તરફથી. કલામે લખ્યુ છે કે DTDPનો ઈંટરવ્યુ સહેલો હતો પણ એયરફોર્સનો ઈંટરવ્યુ બોર્ડ કેડિડેટ્સમાં ખાસ પ્રકારની કાબેલિયત બતાડવા માંગતા હતા.  ત્યા 25 ઉમેદવારોમાંથી કલામ 9માં નંબર પર રહ્યા. પણ 8 સીટો ખાલી હોવાને કારણે તેમનુ સિલેક્શન ન થઈ શક્યુ. 
 
પોતાના પુસ્તકમાં કલામે લખ્યુ હતુ, 'હુ એયરફોર્સના પાયલોટ બનવાનો પોતાનુ સપનુ પુરુ કરવામાં નિષ્ફ્ળ રહ્યો. ત્યારબાદ હુ ચાલતો રહ્યો અને છેવટે એક ઉભી ચટ્ટાનની પાસે પહોંચી ગયો. છેવટે હું ઋષિકેશ જવા અને નવો રસ્તો શોધ કરવાનો નિર્ણય કર્યો.' 
 
કઆમે લખ્યુ છે, 'જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે આપણી અંદર અનેક ક્ષમતાઓ છે અને તે પહેલાથી જ રહેલી હોય છે. બસ આપણને તેની શોધ કરવાની હોય છે અને જીંદગીમાં આગળ વધવાનુ હોય છે.' 
 
કલામે પોતાના આ પુસ્તકમાં પોતાના જીવનના મહત્વપુર્ણ ક્ષણ, મુખ્ય ઘટનાઓ, શિક્ષાઓ અને પ્રેરિત કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો છે. એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.
 
કલામ મેરિટોક્રેટિક ભારતના સાચા પ્રતીક, આદર્શ નાગરિક અને સૌથી હકારાત્મક ભારતીય હતા. રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. અબ્દુલ કલામ સાચા અર્થમાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતાં હતાં.
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments