Webdunia - Bharat's app for daily news and videos

Install App

Defence Jobs Agneepath Yojana - ત્રણ સેનાઓમાં થશે અગ્નિવીરોની ભરતી, સ્થાયી સૈનિકોની જેમ મળશે એવોર્ડ-મેડલ, પણ નહી મળે પેંશન

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (15:06 IST)
ભારતીય સેનાની ત્રણ શાખાઓ - આર્મી, નેવી અને એરફોર્સમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર ચાર વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે. પગાર અને પેન્શનનું બજેટ ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના પ્રમુખોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ યોજનાની જાહેરાત કરી છે. 90 દિવસમાં પ્રથમ ભરતી રેલી યોજાશે.
 
ડિપાર્ટમેંટ ઓફ મિલિટ્રી અફેયર્સ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી અગ્નિપથ ભરતી યોજનાને અગાઉ 'ટૂર ઑફ ડ્યુટી' નામ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ ટૂંકા ગાળા માટે વધુ સૈનિકોની ભરતી કરવામાં આવશે. વિભાગ પોતે પણ તેનો અમલ કરશે. સરકારે પોતાના ખર્ચાઓમાં ઘટાડો કરવા અને સંરક્ષણ દળમાં યુવાનોની સંખ્યા વધારવા માટે આ યોજના દાખલ કરી છે.
 
આવુ હશે સેલેરી સ્ટ્ર્ક્ચર 
 
પહેલા વર્ષે વાર્ષિક પેકેજ - 4.76 લાખ
ચોથા વર્ષ સુધી પેકેજ 6.92 લાખ થઈ જશે 
રિસ્ક અને મુશ્કેલીઓના આધારે બાકીના અલાયંસ મળતા રહેશે 
 
સેલેરીમાં 30% યોગદાન અગ્નિવીર કરશે એટલુ જ સરકાર કરશે 
4 વર્ષ પૂરા થયા પછી 11.7 લાખ રૂપિયા મળશે 
જેમા ઈનકમ ટેક્સમાં છૂટ મળશે 
 
દર વર્ષે 45 હજાર યુવાનોની થશે ભરતી 
અગ્નિપથ હેઠળ દર વર્ષે લગભગ 45,000 યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવકોની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હશે. તેમને ચાર વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક મળશે. આ ચાર વર્ષમાં સૈનિકોને 6 મહિના માટે પાયાની તાલીમ આપવામાં આવશે. જવાનોને 30 હજારથી 40 હજાર સુધીનો પગાર અને અન્ય લાભો આપવામાં આવશે. તેઓ ત્રણેય સેવાઓના કાયમી સૈનિકોની જેમ પુરસ્કારો, ચંદ્રકો અને વીમા કવચ મેળવવા માટે હકદાર રહેશે. વીમા કવચ 44 લાખ રૂપિયાનું હશે.
 
25% અગ્નિવીરોને આગળ સેવા કરવાની તક મળશે
ચાર વર્ષ પૂરા થયા પછી, માત્ર 25% 'અગ્નિવીર'ની જ કાયમી કેડરમાં ભરતી કરવામાં આવશે. જે સૈનિકો ચાર વર્ષ પછી પણ સેનામાં સેવા આપવા માંગે છે, તેમને મેરિટ અને મેડિકલ ફિટનેસના આધારે તક મળશે. જે સૈનિકોને સ્થાયી કેડર માટે પસંદ કરવામાં આવશે તેમણે 15 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાનો રહેશે. પ્રથમ ચાર વર્ષ કરાર હેઠળ રહેશે, તેથી તેનું પેન્શન મળશે નહીં.
 
જે 75% અગ્નિવીર આ યોજનામાંથી બહાર રહેશે તેમને સર્વિસ ફંડ પેકેજ આપવામાં આવશે. 11-12 લાખ રૂપિયાના આ પેકેજને આંશિક રીતે અગ્નિવીરોના માસિક યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ સિવાય તેમને કૌશલ્ય પ્રમાણપત્રો અને બેંક લોન દ્વારા અન્ય કેરિયર શરૂ કરવામાં મદદ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments