Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 વર્ષ પહેલાં આજના દિવસે સર્જાયો હતો ગોધરાકાંડ, જ્યારે ટ્રેનમાં સળગી ગયા હતા 59 લોકો

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (09:21 IST)
ગુજરાતના ગોધરાને એક સમયે મહાત્મા ગાંધીના નામે ઓળખવામાં આવતું હતું. મહાત્મા ગાંધીને આ શહેરમાંથી ચરખો મળ્યો હતો. જોકે સમય જતાં આ શહેરની ઓળખ કલંકિત થઈ ગઈ. 2002 થી, શહેરની ઓળખ ગોધરાકાંડ અને ગુજરાતના રમખાણોથી થાય છે. તે શહેર પર એક એવો ડાઘ છે જે ભાગ્યે જ ભૂંસી શકાય છે. આજે આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા છે, પરંતુ ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોમાં અસરગ્રસ્ત લોકોના ઘા આજ સુધી રૂઝાયા નથી.
 
જોકે 21 વર્ષ પહેલા 2002માં આજના દિવસે ગોધરાની ઘટના બની હતી. ત્યારબાદ 27 ફેબ્રુઆરીનો દિવસ એક દુ:ખદ ઘટના સાથે ઇતિહાસના પાનામાં નોંધાયો. આ દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી. ગુજરાતના ગોધરા સ્ટેશનથી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની એક બોગીને ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 લોકોના મોત થયા હતા, જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
 
અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ટ્રેન ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર પહોંચી. ટ્રેન રવાના થવાની હતી કે તરત જ કોઈએ ચેન ખેંચીને ટ્રેનને રોકી અને પછી પથ્થરમારો કર્યા બાદ ટ્રેનના એક કોચને આગ ચાંપી દીધી. એસ-6 કોચમાં આગ લાગવાની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા.
 
ગોધરાની ઘટનામાં 1500 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જનતાને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર રમખાણોમાં 1200 લોકોના મોત થયા હતા.

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments