Dharma Sangrah

ક્ષત્રિય સમાજ પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માગ કેમ કરી રહ્યો છે?

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (12:53 IST)
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કર્યા પછી એક અથવા બીજી રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
 
વડોદરા અને સાબરકાંઠામાં સ્થાનિક કાર્યકરો જ ભાજપના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે રાજકોટથી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે 
 
કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યા છે.
 
એક વાયરલ વીડિયોમાં રૂપાલાએ નિવેદન આપ્યું, "અંગ્રેજોએ દમન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. મહારાજાઓ નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો 
 
વ્યવહાર કર્યા. તેમનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ ન હટ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે. એમનેમ નથી આવ્યો તે દિ તેમની તલવારો આગળ પણ નહોતા ઝુક્યા. નાના માણસો હતા. ન 
 
તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રહ્યા એ સનાતન ધર્મ. મને તો તમારા માટે ગૌરવ છે." જોકે, ક્ષત્રિય સમાજના વિરોધ પછી મામલો ગરમાતા રૂપાલાએ પોતાના નિવેદન અંગે માફી માંગી હતી 
 
તેમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ ઓછો નથી થયો.
 
સમાચાર પત્ર ઇન્ડિયન એકસપ્રેસના એક અહેવાલ પ્રમાણે ક્ષત્રિય સમાજે ભાજપ સમક્ષ માંગણી કરી છે કે રાજકોટ લોકસભા સીટ પરથી પુરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે.
 
રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજપૂત યુવા સંધના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાએ કહ્યું, "કોઈપણ પ્રકારના સમાધાનની વાતચીત પહેલા ભાજપે રાજકોટ લોકસભાની સીટ પર રૂપાલાની 
 
ઉમેદવારી પાછી ખેંચવી પડશે. અમે આ વાત પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી."
 
"આખો ક્ષત્રિય સમાજ અને તેના 90 જેટલા સંગઠનો કોઈ સમાધન માટે તૈયાર નથી અને રૂપાલાને તેમના નિવેદન માટે માફ નહીં કરે. જો કોઈપણ નેતા સમાધાન કરવા ઈચ્છતા હોય તો તો તેમણે રૂપાલાને 
 
પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવા જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિને અહીંથી ટિકિટ મળવી જોઈએ."
 
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન કરવા માટે ગુજરાત ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને મેદાનો ઉતાર્યા છે. આ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ રાજકોટમાં 
 
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments