Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના વેપારીએ 1 કરોડની જેગુઆર કાર પર મોદી સરકારની સિદ્ધિઓ દર્શાવી

Webdunia
શનિવાર, 4 મે 2024 (11:29 IST)
લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે. વેપારી યુવકે 1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે.

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે. કાર ઉપર કરાયેલી ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે, જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, G20નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


સિદ્ધાર્થ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે તેઓ તેમના માટે કંઈક અલગ જ કરે છે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક તરીકે ખાસ ડિઝાઇન કાર માટે તૈયાર કરાવી છે. જેથી જ્યારે પણ તેઓ રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો જોતા રહી જાય છે. કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે.સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાહક છું. તેઓએ દેશ માટે અનેક કામો કર્યા છે, તેઓ મારા માટે પ્રેરણાના સ્ત્રોત છે. આજ કારણ છે કે મારી કારને આ ખાસ ડિઝાઇન દ્વારા કારમાં તેમના દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ ગાડી હું સુરતમાં ચલાવી રહ્યો છું, જ્યારે અહીં ચૂંટણી પૂર્ણ થશે તો હું અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈને જઈશ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments