Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ માટે અમારા નેતાઓ કાલ સુધી ખરાબ હતા હવે દુધથી ધોવાઈ ગયા: શક્તિસિંહ ગોહિલ

Webdunia
ગુરુવાર, 7 માર્ચ 2024 (16:16 IST)
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી રહી છે. ત્યારે યાત્રાના રૂટની સમિક્ષા અને તૈયારીઓની સમીક્ષા કરવાના ભાગરૂપે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું. શક્તિસિંહ ગોહિલે અર્જુન મોઢવાડિયાનું નામ લીધા કહ્યું હતું કે, જે ભાજપના નેતાઓને અમારા નેતા રંગા બિરલા કહેતા હતા, ભાજપ પ્રદેશ પ્રમુખને ગુનેગાર ગણાવતા હતા એમના જ ખોળામાં આજે ભાજપ બેસી ગયું છે. 
 
ભારત કોંગ્રેસ મુક્ત નહીં થાય પણ ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહ્યું છે
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ એક બાજુ ડરનો દંડો બતાવે છે તો બીજી બાજુ લાલચ આપી અમારા નેતાઓને તોડે છે. આંગળીના વેઢે ગણાય એટલા જ કોંગ્રેસીઓ જાય છે એનાથી અમને કોઈ ફરક નહીં પડે. ભારત તો કોંગ્રેસ મુક્ત નહીં થાય પણ આખું ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહ્યું છે. ભાજપને કામના નામે મત નથી મળવાના એમણે તો કારનામા કર્યા છે એટલે કોંગ્રેસના લોકોને લેવા પડે છે. અમારા નેતાઓ ભાજપ માટે કાલ સુધી ખરાબ હતા હવે દુધે ધોયેલા થઈ ગયા.કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે,ભાજપ દેશના સંવિધાનના મૂલ્યો તોડી કોંગ્રેસને તોડે છે અને અનૈતિક રીતે પોતાની વિચારધારા ફેલાવે છે.
 
યાત્રાનો આજનો કાર્યક્રમ
રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. ધ્વજ હસ્તાંતરણ બાદ ઠુઠી કાંકસીયા સર્કલ પહોંચશે, અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુવડીયા સર્કલથી ચકલીયા સર્કલ તરફ અને ત્યાંથી લીમડી તરફ જશે. આજના દિવસની યાત્રા ઝાલોદ બાયપાસ, કંબોઈધામ ખાતે વિરામ લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments