Webdunia - Bharat's app for daily news and videos

Install App

AAP-કોંગ્રેસ ગઠબંધનઃ આ નિર્ણય પરત લેવા હું હાઈકમાન્ડને રજૂઆત કરીશઃ ફૈઝલ પટેલ

Webdunia
શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (14:48 IST)
AAP-Congress alliance: I will submit to high command to withdraw this decision: Faisal Patel


- ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત
- કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યકત કરી
- નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી

આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષો વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે. કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યકત કરી છે.
આ નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી હતી. ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે, જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓ સમર્થન નહીં કરે. ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસમાં ભારે ખેંચતાણ બાદ અંતે આપના ફાળે ભરૂચ બેઠક આવી છે.

આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતની 26માંથી 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ બેઠક ફાળવવામાં આવી છે.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા. ભરૂચ બેઠક પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોય ફૈઝલ પટેલે આ બેઠક આપને ન ફાળવવા રજૂઆત કરી હતી.ભરૂચ બેઠક આપને ફાળવવાની સત્તાવાર જાહેરાત થતા ફૈઝલ પટેલે નારાજગી વ્યકત કરી હતી. ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં  ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે તેના પર અમે જઈશું. આ નિર્ણયથી હું અને મારા પાર્ટી કાર્યકર્તાઓ નારાજ છીએ. મારે કાર્યકર્તાઓને સમજાવવા પડશે કે પાર્ટીએ આ નિર્ણય શા માટે કર્યો છે.

હું દિલ્હી જઈ રહ્યો છું. આ નિર્ણય પરત લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરીશ. પાર્ટી કાર્યકર્તાઓ નથી ઈચ્છી રહ્યા કે, તેઓ આપને સમર્થન કરે. આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments