Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 માર્ચ પછીના મોદી અને રૂપાણીના કાર્યક્રમો રદ થતાં હવે માર્ચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (12:46 IST)
વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને રાજ્યના નેતાઓના કાર્યક્રમો અંગે મળતી માહિતી પ્રમાણે આવનારી 7 માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન મેના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. પીએમના  બે દિવસીય ગુજરાત પ્રવાસ બાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ગુજરાત સરકારે 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈ 6 માર્ચે મહાત્મા મંદિરમાં યોજાનારા પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને સામૂહિક ગૃહ પ્રવેશના કાર્યક્રમ પછીના જાહેર અને સરકારી કાર્યક્રમો હાલ અટકાવી દીધા છે. 2014ની જેમ મેના અંતમાં નવી સરકારની શપથવિધિ યોજાશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 2014ની 26 મેના રોજ શપથ લીધા હતા. આમ આ સરકારનો કાર્યકાળ મેમાં પુરો થઈ જશે. જેથી નવી સરકાર પણ મેના અંત સુધીમાં બની જવી જરૂરી હોવાથી 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થશે.  2014માં 5 માર્ચના રોજ ચૂંટણી જાહેર થઈ હતી. પરંતુ 5 અને 6 માર્ચ સુધી પીએમ ગુજરાત અને તમિલનાડુના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમના આ નિર્ધારિત કાર્યક્રમો બાદ ચૂંટણી જાહેર થશે. 2014માં 5મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી અને ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આમ જો હવે 7 માર્ચે ચૂંટણી જાહેર થાય તો ગુજરાતમાં 2મેના રોજ મતદાન યોજાઈ શકે છે.
 
 

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments