Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદી રાણીપમાં, ભાજપ અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (14:22 IST)
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં દેશના વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના નાણા મંત્રી અરૂણ જેટલી ગુજરાતમાં મતદાન કરશે. પીએમ મોદી અને અમિત શાહ બંને ગુજરાતના મતદાતા હોવાથી તેમના મતદાન કેન્દ્રો પર વિશેષ ઉત્સાહ જોવા મળશે. પ્રાપ્ત અહેવાલો મુજબ વડપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં 7.30 વાગ્યે મતદાન કરશે. જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સવારે 09.30 વાગ્યે નારણપુરામાં મતદાન કરશે, ભાજપના નાણા મંત્રી અરૂણ જેટલી સવારે 9.30 વાગ્યે ચીમન ભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સવારે 9.30 વાગ્યે મતદાન કરશે તો મધ્યપ્રદેશના ગવર્નર અને પૂર્વ મુખ્ય મંત્રી આનંદી બહેન પટેલ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે સવારે 7.30 વાગ્યે મતદાન કરશે. ભાજપના અન્ય નેતાઓમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુ ભાઈ વાળા રાજકોટના મતદાતા હોવાથી બંને રાજકોટ ખાતે મદાન કરશે. વજુ ભાઈ વાળા બપોરે 2.00 વાગ્યે રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કરશે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવારે 8.00 વાગ્યે મતદાન કરશે. રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કડીની સંસ્કાર ભારતી શાળામાં સવારે 10.00 વાગ્યે મતદાન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના વયોવૃદ્ધ માતા હિરાબા પણ મતદાન કરવા જશે. હિરાબા રાયસણમાં પંચાયત ઓફિસ ખાતે બુથ નંબર 3માં સવારે 8.00 વાગ્યે મતદાન કરવા માટે જશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments