Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી અને ગોડસે વિવાદ - પ્રજ્ઞા ઠાકુર સહિત બીજેપી નેતાઓ પર અમિત શાહનુ કડક વલણ, પાર્ટીએ નોટિસ મોકલી માગ્યો જવાબ

Webdunia
શુક્રવાર, 17 મે 2019 (12:39 IST)
નાથુરામ ગોડસેને લઈને આપેલ નિવેદન પછી બીજેપી નેતા અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને નલીન કટીલની મુશ્કેલી વધવા માંડી છે. ભારતીય જનતા પાર્ટીએ બંને નેતાઓને આ વિશે જવાબ માગ્યો છે. આ વાતની માહિતી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને આપી. 
 
ટ્વીટ કરી અમિત શાહે કહ્યુ, પાર્ટીની અનુશાસન સમિતિએ ત્રણેય નેતાઓ પાસે જવાબ માંગીને તેની એક રિપોર્ટ 10 દિવસની અંદર પાર્ટીને આપે. આ પ્રકારની સૂચના આપી છે. અમિત શહએ ત્રણેય નેતાઓના આ નિવેદનને વ્યક્તિગત બતાવ્યા છે.  છેલ્લા 2 દિવસમાં શ્રી અનંતકુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને શ્રી નલીન કટીલના જે નિવેદન આવ્યા છે તે તેમના વ્યક્તિગત નિવેદન છે. આ નિવેદન સાથે જનતા પાર્ટીનો કોઈ સંબંધ નથી. 
 
આ લોકોએ પોતાના નિવેદન પરત લીધા છે અને માફી પણ માંગી લીધી છે. છતા પણ સાર્વજનિક જીવન અને ભારતીય જનતા પાર્ટીની ગરિમા અને વિચારધારાના વિરુદ્ધ આ  નિવેદનોને પાર્ટીએ ગંભીરતાથી લઈને ત્રણેય નિવેદનોને અનુશાસિત સમિતિને મોકલવાનો નિર્ણય કર્યો છે. 
 
અનુશાસન સમિતિ ત્રણેય નેતાઓ પાસેથી જવાબ માંગીને તેની એક રિપોર્ટ 10 દિવસની અંદર પાર્ટીને આપે. આ પ્રકારની સૂચના આપી છે. 
 
ઉલ્લેખનીય છે કે મીડિયાના સવાલના જવાબમાં પ્રજ્ઞા ઠાકુરે નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ, "નાથૂરામ ગોડસે દેશભક્ત હતા.. છે.. અને રહ્શે.. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતાનુ આત્મ નીરિક્ષણ કરી લે. હાલની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપવામાં આવશે."  
 
બીજી બાજુ બીજેપી સાંસદ નલિને ગુરૂવારે કહ્યુ, "ગોડસેએ એકને માર્યો, કસાબે 72ને માર્યા, રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા, હવે તમે ખુદ નક્કી કરી લો કે કોણ વધુ ક્રૂર છે." નલિન કટિલ બીજેપીની ટિકિટ પર અહીથી બીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા છે. 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments